Proud of Gujarat
FeaturedGujaratINDIA

નાંદોદ તાલુકાનાં રાજપીપળા નગરપાલિકા વિસ્તારનાં વોર્ડ નં. ૭ ની રાજેન્દ્રનગર સોસાયટીનાં નિયત ૮ ઘરને COVID-19 કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરતું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ પ્રસિદ્ધ કરેલું જાહેરનામુ.

Share

નોવેલ કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. નોવેલ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લેતાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરનાં તા.૧૩/૦૩/૨૦૨૦ ના જાહેરનામાથી ધી એપેડેમીક ડીસીઝ એક્ટ – ૧૮૯૭ અન્વયે The Gujarat Epidemic Diseases Covid-19 Regulations – 2020 જાહેર કરેલ છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે.અત્રેના જિલ્લામા નાંદોદ તાલુકાના રાજપીપલા નગર પાલિકા વિસતારના વોર્ડ નં. ૭ ની રાજેન્દ્રનગર સોસાયટીમાં COVID-19 નો પોઝીટીવ કેસ નોંધાયેલ છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા નર્મદા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે. વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ–૩૦ તથા કલમ-૩૪ તેમજ ધી એપેડેમીક ડીસીઝ એક્ટ,૧૮૯૭ ની કલમ–૨ અન્વયે મળેલ સત્તાની રૂએ તા.૧૩/૦૭/૨૦૨૦ થી તા.૨૬/૦૭/૨૦૨૦ સુધી કેટલાક નિયંત્રણો લાદતો હુકમ કર્યો છે. તદઅનુસાર, ઉક્ત જાહેરનામામાં દર્શાવ્યા મુજબ નાંદોદ તાલુકાના રાજપીપલા નગર પાલિકા વિસતારના વોર્ડ નં. ૭ ની રાજેન્દ્રનગર સોસાયટીના શ્રી અરવિંદભાઇ પાદરીયાના ઘરથી નટુભાઇ પટેલના ઘર સુધીના ૮ (આઠ) ઘરને COVID-19 કન્ટેઇનમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયા છે. જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે- ૮ અને કુલ વસ્તી આશરે-૨૩ દર્શાવાઈ છે. કન્ટેઇનમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયેલ નાંદોદ તાલુકાના રાજપીપલા નગર પાલિકા વિસ્તારના વોર્ડ નં. ૭ ની રાજેન્દ્રનગર સોસાયટીના અરવિંદભાઇ પાદરીયાના ઘરથી નટુભાઇ પટેલના ઘર સુધીના ૮ (આઠ) ઘર વિસ્તારમાં જરૂરી અમલવારી માટે સૂચવાયેલી બાબતોમાં જણાવ્યા મુજબ વિસ્તારના એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ પર સરકારની આરોગ્ય વિભાગની ગાઈડલાઈન (SOP) મુજબ આરોગ્ય ટીમ દ્વારા ૧૦૦% થર્મલ સ્ક્રીનીગ કરવાનું રહેશે. આ વિસ્તારમાં આરોગ્ય વિભાગના નક્કી કરેલ પ્રોટોકોલ મુજબ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કાર્યવાહી કરવાની રહેશે. આ વિસ્તારને આવરી લેતા તમામ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે તથા એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ તિલકવાડા ગામના નવું ફળીયું જીનની સામે આવેલ ડાહીબેન વિઠ્ઠલભાઈ પરમારના ઘરથી લઇને સંજયભાઈ ધનજીભાઈ માછીના ઘર સુધીના વિસ્તારને તેમજ ગોલાતલાવડી ગામના હાઈવેથી લઇને ગોલાતલાવડી પ્રાથમિક શાળા સુધીના વિસ્તાર સિવાયના તમામ રસ્તા યોગ્ય બેરીકેડિંગ કરીને સંપૂર્ણ બંધ કરવાના રહેશે અને આખા વિસ્તારને સીલબંધ કરી દેવાનો રહેશે. જેથી એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ સિવાયના અન્ય કોઈ પણ રસ્તેથી કોઈ પણ વ્યક્તિ કે વાહન પ્રવેશી ન શકે કે બહાર ન જઈ શકે. આરોગ્ય ટીમે તમામ વ્યક્તિ તથા વાહનોનો વિગતવાર રેકોર્ડ રાખવાનો રહેશે. આ વિસ્તારમાં બહારની કોઈ પણ વ્યક્તિ અંદર જઈ શકશે નહી તથા આ વિસ્તારના રહેવાસી કોઈ પણ વ્યક્તિ બહાર જઈ શકશે નહીં. આ વિસ્તારના એક જ એન્ટ્રી/ એકઝીટ પોઈન્ટ પર આરોગ્ય ટીમ, આવશ્યક ચીજવસ્તુઓની જાળવી રાખવાની કામગીરી સંભાળતી ટીમ અને પોલીસ ટીમે કંટ્રોલ રૂમ ઉભો કરવાનો રહેશે અને 24*7 રાઉન્ડ ધ કલોક ત્યાંથી તમામ બાબતોનું નિયમન કરવાનું રહેશે. આ કન્ટેન્ટમેન્ટ એરિયા (Containment Area) માં માત્ર આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ માટે સવારના ૭.૦૦ કલાકથી રાત્રીના ૭.૦૦ કલાક સુધી જ પરવાનગી આપવામાં આવે છે. તે સિવાયની અન્ય પ્રવૃત્તિઓ પ્રતિબંધિત રહેશે. આવશ્યક સેવાઓ(તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબધિત ફરજો સહિત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન-જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયત્રંણ કરવામાં આવશે. આ વિસ્તારના તમામ રહેવાસીઓ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરે તે સ્થાનિક વહીવટીતંત્રએ સુનિશ્ચિત કરવાનું રહેશે. ભારત સરકારનાં કન્ટેન્ટમેન્ટ એરિયા પ્લાનની ગાઈડલાઈનનું ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે. તદઉપરાંત,નાંદોદ તાલુકાના નાંદોદ તાલુકાના રાજપીપલા નગર પાલિકા વિસતારના વોર્ડ નં. ૭ ની રાજેન્દ્રનગર સોસાયટીના અરવિંદભાઇ પાદરીયાના ઘરથી નટુભાઇ પટેલના ઘર (૮ ઘરો) સુધીના સંક્રમિત વિસ્તારના સિવાયના કલબ રોડની લાઇનના બંને તરફના ઘરોને COVID-19 બફર ઝોન (Buffer Zone) તરીકે જાહેર કરીને આ ઝોનની હદને સીલ કરવામાં આવે છે. બફર એરીયાના વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બફર એરીયામાં આવતા વિસ્તાર માટે દર્શાવાયેલ અપવાદની બાબતોમાં સરકારી ફરજ ઉપરની વ્યક્તિઓ તથા તેના વાહનો (સરકારી અને ખાનગી સહિત), આ વિસ્તારમાંથી પસાર થતાં તમામ માલવાહક વાહનો, આ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા પ્રોટોકોલ મુજબ સઘન સર્વેલન્સની કામગીરી કરવાની રહેશે તથા નિવારક પગલાંના ભાગરૂપે માસ્ક, વારંવાર હાથ ધોવા, વ્યક્તિગત સફાઈ, સામાજીક અંતર વગેરે જેવી બાબતોનો તેમાં સમાવેશ થાય છે. આ જાહેરનામાની અમલવારી તા. ૧૩/૦૭/૨૦૨૦ થી તા.૨૬/૦૭/૨૦૨૦ સુધી કરવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક થી પોલીસ-સબ-ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારી ઓને અધિકૃત કરવામાં આવેલ છે.

રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા જિલ્લા

Advertisement

Share

Related posts

ભરૂચ-દહેજ ના વડદલા ગામે થી ૨ કિલો ઉપરાંત ના ગાંજા ના જથ્થા સાથે એક મહિલા ઝડપાઇ…

ProudOfGujarat

ઝગડીયા જી.આઈ.ડી.સી માં એક કામદારનું પગ લપસી જતા કંપની માં મોત 

ProudOfGujarat

અંકલેશ્વરના અતિ પ્રસિદ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે તા. 1લી જાન્યુઆરીના રોજ સાતમા પાટોત્સવની ભવ્ય ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!