Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા શહેરને કચરાપેટી મુક્ત બનાવનાર પાલિકાનાં મુખ્ય અધિકારીને ભેટ : શહેરમાં અનેક જગ્યાઓ પર કચરાનાં ઢગ..!!

Share

ઘણા વર્ષો બાદ રાજપીપળા શહેરને કચરા પેટીમાંથી મુક્ત કરનારા પાલીકાનાં મુખ્ય અધિકારી જયેશ પટેલે કરેલી આ કામગીરીનાં ઘણા વખાણ થયા હતા પરંતુ ગણતરીનાં દિવસોમાં ઘણી જગ્યાઓ પર નિયમિત સફાઈ ન થતા કચરા પેટી વિના કચરાના ઢગ જોવા મળતા સ્થાનિક રહીશોને ચોમાસાની ઋતુ અને કોરોનાનાં હાઉ વચ્ચે બીમારીમાં સપડાઈ તેવો ડર સતાવી રહ્યો છે. જો ધાર્મિક સ્થળો પાસે જ ગંદકી કે કચરાના ઢગલા જોવા મળે તો શહેરનાં અન્ય વિસ્તારોમાં કેવી સફાઈ થતી હશે તેવો પ્રશ્ન સ્થાનિકોમાં ઉઠ્યો છે. વેરો વધારવા ઉતાવળા બનેલા પાલીકા સત્તધીશો તેમજ કેટલાક સદસ્યો પ્રજાને પાણી,સફાઈ જેવી પાયાની સુવિધા યોગ્ય રીતે મળે એ બાબતે યોગ્ય તકેદારી રાખે અને રાજપીપળા શહેરમાં કોરોનાની સાથે સાથે અન્ય કોઈ મોટો રોગચાળો ન વકરે તે દિશામાં પગલાં લે તેવી માંગ ઉઠી છે.કેટલાક સદસ્યોનાં ફળીયામાં પણ આવી તકલીફો જોવા મળતી હતી પરંતુ જે તે સમયે સદસ્યોનાં મતે મુખ્ય અધિકારી સભ્યોનું પણ સાંભળતા નથી ઉપરથી ઘણો સ્ટાફ ઓછો કરી દેતા હાલ સફાઈ સહિત અનેક બાબતે પાલીકા તંત્રની કામગીરી નિષ્ફળ જતી જોવા મળે છે.તેવા સંજોગોમાં નર્મદા કલેક્ટર પણ જો મૌન સેવી બેઠા હોય તો ફરિયાદ કોને કરવી..?? તેવી બુમ ઉઠી હતી માટે જિલ્લા કલેક્ટર આવી બાબત ગંભીરતાથી લઈ યોગ્ય પગલાં લે તેવી લોક માંગ ઉઠી છે.

રિપોર્ટર આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : લખતર ગ્રામ પંચાયતમાં ઉચાપત થઈ હોવાના પુરાવા આપી તપાસ કરવા આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ભંગારીયાઓ બેફામ બન્યા, ફૂટફાટ પર જ બિંદાસ અંદાજમાં પોતાનો વેપલો શરૂ કર્યો, તંત્ર અંધારામાં

ProudOfGujarat

નેત્રંગ ખાતે વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!