Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરીમાંથી નર્મદા બંધ ઓવરફલોનો અદભુત નજારો જોવા મળ્યો.

Share

કોરોના મહામારીના કારણે પ્રવાસન સ્થળો પણ બંધ છે ત્યારે ચાલુ વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે જેથી સરદાર પટેલ એકતા ટ્રસ્ટને ભારે નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની ૪૨ માળ ઊંચી વ્યુઇંગ ગેલેરીમાંથી સાતપુડા અને વીંધ્યાચલ પર્વત માળાઓ તેમજ સરદર સરોવર નર્મદા બંધનો આહલાદક નજારો માંડતા હોય છે ત્યારે પ્રવાસીઓ ચાલુ વર્ષે આ નજારો માણી શક્યા નથી.

હાલ નર્મદા બંધમાં ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થઈ રહી છે જેના કારણે સરદાર સરોવર નર્મદા બંધમાંથી પાણી છોડાઈ રહ્યું છે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ૪૨ માળ ઉપર વ્યુઇંગ ગેલેરીમાંથી સરદાર સરોવર નર્મદા બંધ ઓવરફ્લોનો અદભુત નજારો જોવા મળ્યો હતો. ઉપરાંત વરસાદી મોસમમાં વાદળોમાં ઘેરાયેલી વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાનો અદભુત નજારો પણ જોવા મળ્યો છે.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

સુરત : માંડવી તાલુકાના આમલીડેમમાં મૃત્યુ પામનારને રૂપિયા ચાર લાખની સહાય આપવાનો પ્રસ્તાવ સ્વીકાર કરતા મુખ્યમંત્રી.

ProudOfGujarat

ભરૂચનાં જે.બી મોદી પાર્ક પાસે આવેલ મહાવીર નગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પરિણીત મહિલાની હત્યાથી ચકચાર, પોલીસે મામલે વધુ તપાસ હાથધરી.

ProudOfGujarat

અમરેલીમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!