Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નોકરી આપવાની વાત કહી સિક્યોરિટીની તાલીમમાં મોકલ્યા બાદ આદિવાસી યુવાનો છેતરાયા હોવાનો આક્ષેપ.

Share

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્થાનિકોને રોજગારી આપવામાં આવશે તેવી સરકાર દ્વારા વાતો થઇ રહી છે જેની વચ્ચે એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે જેમાં આદિવાસી યુવાનોને સિક્યોરિટીની ટ્રેનિંગ આપ્યા બાદ નોકરીએ ન લેવાતા હોવાનો યુવાનો આક્ષેપ કરી રહ્યા છે. ઉપરાંત ટ્રાઇબલ ખાતામાંથી તેમના નામે ગ્રાન્ટ ખવાઈ ગઈ હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો છે તેઓએ આ બાબતે નર્મદા જિલ્લા કલેકટરને સંબોધતું આવેદનપત્ર આપ્યું છે જેમાં જણાવ્યું છે કે ગયા વર્ષે નર્મદા જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા રાજપીપળા પ્રાયોજના વહીવટદારની કચેરી ટ્રાયબલ સબ પ્લાનના સહયોગથી જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જિનસી વિલિયમના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી વિષય સંદર્ભે તાલીમ માટે ઓક્ટોબર 2019 માં રક્ષા એકેડમી તરફથી રાજપીપળા ખાતે મોકલાયા સિક્યોરિટી સર્વિસની પસંદગી પામેલ ૩૦ જેટલા યુવાનોને આંધ્રપ્રદેશ ખાતે તાલીમમાં લઈ જવામાં આવ્યા અને એવું કહેવામાં આવ્યું કે તાલીમ બાદ વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમને સિક્યોરિટી માટે નોકરી પર રાખવામાં આવશે પરંતુ આજે આ વાતને એક વર્ષ પૂરું થયું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે સિક્યુરિટી એજન્સી કાર્યરત છે જેમાં અમને કોઈ પૂછતું પણ નથી અમે એજન્સીના લોકોને વારંવાર સવાલ પૂછતા યોગ્ય ઉત્તર પણ મળતો નથી આમ અમને પ્રતિત થઈ રહ્યું છે કે અમારી તાલીમ અને અમારા નામે ખાલી ટ્રાયબલ ડિવિઝનમાંથી ગ્રાન્ટ ઉપાડવા માટે આવી હતી આમ કોઈ ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગી રહ્યું છે જેથી હવે આપ અમને સાત દિવસમાં યોગ્ય નોકરી ન આપી શકો તો અમારા નામે જે ગ્રાન્ટ ખાવામાં આવી છે અમને પાછી આપવામાં આવે.

( રાજપીપળા : આરીફ જી કુરેશી નર્મદા )

Advertisement

Share

Related posts

ભરૂચ : મહંમદપુરાના તીન દરગાહ ખાતે સમસ્ત ભરૂચ મુસ્લિમ સમાજ દ્વારા CAA-NRC અંગે વિરોધ કરતો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજપીપળા : નર્મદાના ત્રણ દિવંગત યુવા પત્રકારોને પ્રેસ ક્લબ નર્મદા દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી.

ProudOfGujarat

વડોદરાના પ્રભારી સચિવ ડો.વિનોદ રાવે સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં કોવીડ સારવાર વ્યવસ્થાનું કર્યું નિરીક્ષણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!