Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળાનાં મુસ્લિમ અગ્રણી અને પાલિકનાંના પૂર્વ ઉપ પ્રમુખ સ્વ. યુસુફભાઈ સોલંકીનાં પુત્ર મંજુરઇલાહીનું પ્રચાર દરમિયાન ઠેર-ઠેર સ્વાગત કરયું.

Share

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે ચાલુ વર્ષે જુના જોગીઓએ ચૂંટણીમાં જંપ લાવ્યું છે ભાજપ કોંગ્રેસને ટક્કર આપવા જન હિત રક્ષક પેનલ મેદાને છે ઉપરાંત સમગ્ર રાજપીપળામાં અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણીનો જંગ જીતવા તત્પર બન્યા છે.

રાજપીપળા નગરપાલિકામાં વોર્ડ નં ૦૧ માં સતત ૦૪ ટર્મ ચૂંટાઈ યુસુફ ભાઈ દાવુદભાઈ સોલંકીએ લોક ચાહના મેળવી હતી. ગત ચૂંટણીમાં સંજોગોસર તેઓએ નગરપાલિકાની ચૂંટણીથી વેગડા રહ્યા હતા ચાલુ વર્ષે તેઓએ રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી લડવા માટે આશા વ્યક્ત કરી હતી પરંતુ કોરોના કાળમાં તેમનું અચાનક મૃત્યુ થતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ હતી.

Advertisement

હવે જ્યારે નગરપાલિકાની ચૂંટણીઓ આવી છે ત્યારે લોકોની માંગણીને ધ્યાને લઇ સ્વ. યુસુફભાઈ દાવુદભાઈનાં પુત્ર મંજુરઇલાહી (ઉર્ફે લાલુ) એ વોર્ડ નંબર ૦૧ માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે ત્યારે લાલુએ પોતાના પિતાના સ્વપ્નને ધ્યાને રાખી રાજકારણમાં પગ મૂક્યો છે અને પિતાનું લોકહિતનું સૂત્ર સાર્થક કરી બતાવવા સક્ષમ હોવાની વાત કરી હતી અને મતદારો તેમને પિતાની જેમ માન સન્માન સાથે વોટ આપશે તેવી આશા વ્યક્ત કરી છે.

મંજુરઇલાહી (ઉર્ફે લાલુ) એ વોર્ડ નંબર ૦૧ જ્યારે પ્રચાર કરવા નીકળ્યા હતા ત્યારે વોર્ડ નંબર ૧ મતદારો મંજુરેઇલાહી (ઉર્ફે લાલુ) નો લોકો ફુલ હાર પહેરાવીને સ્વાગત કરયું હતું. મંજુરેઇલાહી (ઉર્ફે લાલુ) એ વધુમાં જણાયું હતું કે હું મારા પિતાના લોકસેવાના સ્વપ્નને આગળ ધપાવીશ.

આરીફ જી કુરેશી : રાજપીપળા


Share

Related posts

boAt ની નવી સ્માર્ટવોચ બ્લૂટૂથ કોલિંગ ફીચર સાથે લોન્ચ, તમે ફોનને ટચ કર્યા વિના મિત્રો સાથે ચેટ કરી શકશો.

ProudOfGujarat

ભરૂચના કોર્ટ રોડ પર આવેલ નર્મદા એપાર્ટમેન્ટના ત્રીજા માળે એક રૂમમાંથી વૃદ્ધનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચ્યો હતો…

ProudOfGujarat

અમદાવાદ : વરસાદી માહોલ વચ્ચે હવાઈ સેવા ખોરવાઈ, અમદાવાદ આવતી 3 ફ્લાઇટ ડાઇવર્ટ, 2 કેન્સલ થઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!