Proud of Gujarat
FeaturedGujaratINDIA

તિલકવાડા તાલુકાનાં ડાભીયા ગામની અશ્વિની નદીમાં ભેંસોને પાણી પીવડાવવા ગયેલ ૫૦ વર્ષીય આધેડનું નદીમાં ડૂબી જતા મોત.

Share

તિલકવાડા તાલુકાના ડાભીયા ગામની અશ્વિની નદીમાં ભેંસોને પાણી પીવડાવવા ગયેલ ૫૦ વર્ષીય આધેડનું નદીમાં ડૂબી જતા કરૂણ મોત નીપજ્યુ છે. આ અંગે તિલકવાડા પોલીસ મથકે અકસ્માતે મોતનાં ગુનાની ફરિયાદ નોંધાઇ છે.

બનાવની વિગત મુજબ તા.૧૪/૪/ર૧ ના રોજ ડાભીયા ગામે મરનાર દિનેશભાઇ કંચનભાઇ તડવી (ઉ.વ. ૫૦ રહે. ડાભીયા) પોતાની ભેંસને ગામની ભાગોળે આવેલ અશ્વિની નદીમાં પાણી પીવડાવવા માટે બપોરના આશરે સાડા બાર વાગ્યાના અરસામાં લઇ ગયેલ ત્યારે કોઇ અગમ્ય કારણોસર નદીના પાણીમાં ડુબી જતા તેમનું મોત નીપજ્યુ હતુ. મરણની ખબર જગદીશભાઈ દિનેશભાઇ તડવી (રહે. ડાભીયા) એ કરતા પોલીસે કાયદેસરની
કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

એક દ્રશ્ય કેવી રીતે કલ્પના અને રજૂ કરવામાં આવે છે તે વાસ્તવિક ફરક પાડે છે’: જ્યોર્જિયા એન્ડ્રિયાની સિનેમામાં મહિલાઓના ચિત્રણ પર ખુલીને વાત કરે છે

ProudOfGujarat

પંચમહાલ જીલ્લાના હાલોલમાં આવેલા રણછોડનગર સોસાયટીના ત્રણ યુવાનોને ભેગા મળીને અખબારના પેપરોમાથી ગણપતિની અનોખી મુર્તિ બનાવી છે.પાછલા વર્ષોથી રણછોડનગરમાં પીઓપીની મુર્તિ સ્થાપિત કરાતી હતી.ત્યારે અખબારના પેપરમાથી ઇકોફ્રેન્ડલી મુર્તિ બનાવી એ પાણીનો શ્રોતોને સ્વચ્છ રાખવાનો સંદેશો પહોંચાડ્યો છે.

ProudOfGujarat

અમરેલી : વિજળી મુદ્દે ખેડૂતો અને કોંગી કાર્યકરોના ધરણા, પોલીસે કરી અટકાયત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!