Proud of Gujarat
FeaturedGujaratINDIA

તિલકવાડા તાલુકાનાં ડાભીયા ગામની અશ્વિની નદીમાં ભેંસોને પાણી પીવડાવવા ગયેલ ૫૦ વર્ષીય આધેડનું નદીમાં ડૂબી જતા મોત.

Share

તિલકવાડા તાલુકાના ડાભીયા ગામની અશ્વિની નદીમાં ભેંસોને પાણી પીવડાવવા ગયેલ ૫૦ વર્ષીય આધેડનું નદીમાં ડૂબી જતા કરૂણ મોત નીપજ્યુ છે. આ અંગે તિલકવાડા પોલીસ મથકે અકસ્માતે મોતનાં ગુનાની ફરિયાદ નોંધાઇ છે.

બનાવની વિગત મુજબ તા.૧૪/૪/ર૧ ના રોજ ડાભીયા ગામે મરનાર દિનેશભાઇ કંચનભાઇ તડવી (ઉ.વ. ૫૦ રહે. ડાભીયા) પોતાની ભેંસને ગામની ભાગોળે આવેલ અશ્વિની નદીમાં પાણી પીવડાવવા માટે બપોરના આશરે સાડા બાર વાગ્યાના અરસામાં લઇ ગયેલ ત્યારે કોઇ અગમ્ય કારણોસર નદીના પાણીમાં ડુબી જતા તેમનું મોત નીપજ્યુ હતુ. મરણની ખબર જગદીશભાઈ દિનેશભાઇ તડવી (રહે. ડાભીયા) એ કરતા પોલીસે કાયદેસરની
કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ઝઘડીયાના સારસા ગામે અનુસૂચિત જાતિ મોરચાની બેઠક મળી.

ProudOfGujarat

મૂળ નિવાસી એકતા મંચ તથા બી.ટી.ટી.પી દ્વારા મણિપુરની હિંસા મામલે રાષ્ટ્રપતિને સંબોધીને કરજણના પ્રાંત અધિકારીને આવેદન પાઠવાયુ.

ProudOfGujarat

ભરૂચ ઝઘડિયા ના વાઘપરા ગામ નજીક હાઇવા ટ્રકે મોટરસાયકલ સવાર ને અડફેટે એક નું મોત તેમજ અન્ય એક ને ઈજાઓ પહોંચી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!