Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોવિડમાં મૃત્યુ પામેલા દર્દીઓનાં અંતિમ સંસ્કાર માટે રાજપીપળા વૈષ્ણવ વણિક સમાજનાં યુવાનોની માનવતાભરી કામગીરી.

Share

– રાજપીપળા કોલેજ હોસ્પિટલમાં છેલ્લા 21 દિવસમાં 58 દર્દીઓના મોત વૈષ્ણવ સમાજે અંતિમવિધિ કરી.

– સરકારી આંકડા અને વાસ્તવિક આંકડામાં ભારે તફાવત, સરકારી ચોપડે માત્ર ત્રણ જ મોત થયા છે !

Advertisement

રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કોરોના ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે. જેમાં એપ્રિલ મહિનામાં રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મૃત્યુ આંક પણ વધ્યો છે. જેમાં 2 એપ્રિલથી 21 એપ્રિલ સુધીમાં રાજપીપળા કોવીડ હોસ્પિટલમાં 58 જેટલા દર્દીઓના મોત થયા છે. એ બાબત અગત્ય ગંભીર કહી શકાય, જોકે સરકારી ચોપડે માત્ર ત્રણ જ મોત દર્શાવ્યા છે.

મૃત્યુ પામેલા દર્દીઓના અંતિમ સંસ્કાર માટે વૈષ્ણવ-વણીક સમાજ રાજપીપળાએ જવાબદારી સંભાળી માનવતાનું કામ કરી રહ્યા છે. ત્યાં આ તમામના રાજપીપળા કોવીડ સ્મશાનમાં અંતિમ સંસ્કાર થયા છે. ત્યારે આવી માનવતાભરી જવાબદારી સંભાળનાર રાજપીપળા વૈષ્ણવ વણિક સમાજના યુવાનો હાલની વિકસ સ્થિતિમાં નાત જાતના ભેદભાવ વિના સાચે જ એક ઉમદા કાર્ય કરી રહ્યા છે જે બિરદાવવા લાયક છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

વાંકલ ની શ્રી.એન. ડી. દેસાઈ. સાર્વજનિક હાઇસ્કૂલ માં અંતિમ સમાજશાસ્ત્ર પેપર આવી રહેલી વિદ્યાર્થિની રસ્તામાં ચક્કર આવી જતાં હોસ્પિટલ માં લઇ જવાય. ચાલુ પરીક્ષામાં એક વિદ્યાર્થી ને ચક્કર અને વોમિટીંગ થઈ.

ProudOfGujarat

રાજકોટમાં સીટી બસ ફરી વિવાદમાં : સાત કંડકટર થયા સસ્પેન્ડ, પાંચ મુસાફરો ટિકિટ વગર મુસાફરી કરતા ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા માં વધુ 21 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ 1316 જોકે કુલ 9 દર્દી સાજા થતા કુલ 1106 દર્દી સાજા થયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!