Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોવિડમાં મૃત્યુ પામેલા દર્દીઓનાં અંતિમ સંસ્કાર માટે રાજપીપળા વૈષ્ણવ વણિક સમાજનાં યુવાનોની માનવતાભરી કામગીરી.

Share

– રાજપીપળા કોલેજ હોસ્પિટલમાં છેલ્લા 21 દિવસમાં 58 દર્દીઓના મોત વૈષ્ણવ સમાજે અંતિમવિધિ કરી.

– સરકારી આંકડા અને વાસ્તવિક આંકડામાં ભારે તફાવત, સરકારી ચોપડે માત્ર ત્રણ જ મોત થયા છે !

Advertisement

રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કોરોના ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે. જેમાં એપ્રિલ મહિનામાં રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મૃત્યુ આંક પણ વધ્યો છે. જેમાં 2 એપ્રિલથી 21 એપ્રિલ સુધીમાં રાજપીપળા કોવીડ હોસ્પિટલમાં 58 જેટલા દર્દીઓના મોત થયા છે. એ બાબત અગત્ય ગંભીર કહી શકાય, જોકે સરકારી ચોપડે માત્ર ત્રણ જ મોત દર્શાવ્યા છે.

મૃત્યુ પામેલા દર્દીઓના અંતિમ સંસ્કાર માટે વૈષ્ણવ-વણીક સમાજ રાજપીપળાએ જવાબદારી સંભાળી માનવતાનું કામ કરી રહ્યા છે. ત્યાં આ તમામના રાજપીપળા કોવીડ સ્મશાનમાં અંતિમ સંસ્કાર થયા છે. ત્યારે આવી માનવતાભરી જવાબદારી સંભાળનાર રાજપીપળા વૈષ્ણવ વણિક સમાજના યુવાનો હાલની વિકસ સ્થિતિમાં નાત જાતના ભેદભાવ વિના સાચે જ એક ઉમદા કાર્ય કરી રહ્યા છે જે બિરદાવવા લાયક છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

સમગ્ર દેશમાં પ્રથમવાર ગુજરાતમાં ઐતિહાસિક જન સંકલ્પ રેલીનું આયોજન… જેમાં એક મંચ ઉપર કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી,UPA ચેરપર્સન સોનિયા ગાંધી,પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ તેમજ AICCના મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉપસ્થિત રહેશે…

ProudOfGujarat

કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે ગાંધીનગર ખાતે આંદોલન પર બેઠેલા સફાઈ કર્મચારીઓની લીધી મુલાકાત.

ProudOfGujarat

આમોદમાં સસ્તા અનાજની દુકાનેથી રેશનકાર્ડ ધારકોને ઓછું અનાજ આપી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાથી મીડિયા કર્મીઓએ આમોદ પુરવઠા મામલતદારેને બોલાવી તપાસ હાથ ધરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!