Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોવિડમાં મૃત્યુ પામેલા દર્દીઓનાં અંતિમ સંસ્કાર માટે રાજપીપળા વૈષ્ણવ વણિક સમાજનાં યુવાનોની માનવતાભરી કામગીરી.

Share

– રાજપીપળા કોલેજ હોસ્પિટલમાં છેલ્લા 21 દિવસમાં 58 દર્દીઓના મોત વૈષ્ણવ સમાજે અંતિમવિધિ કરી.

– સરકારી આંકડા અને વાસ્તવિક આંકડામાં ભારે તફાવત, સરકારી ચોપડે માત્ર ત્રણ જ મોત થયા છે !

Advertisement

રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કોરોના ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે. જેમાં એપ્રિલ મહિનામાં રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મૃત્યુ આંક પણ વધ્યો છે. જેમાં 2 એપ્રિલથી 21 એપ્રિલ સુધીમાં રાજપીપળા કોવીડ હોસ્પિટલમાં 58 જેટલા દર્દીઓના મોત થયા છે. એ બાબત અગત્ય ગંભીર કહી શકાય, જોકે સરકારી ચોપડે માત્ર ત્રણ જ મોત દર્શાવ્યા છે.

મૃત્યુ પામેલા દર્દીઓના અંતિમ સંસ્કાર માટે વૈષ્ણવ-વણીક સમાજ રાજપીપળાએ જવાબદારી સંભાળી માનવતાનું કામ કરી રહ્યા છે. ત્યાં આ તમામના રાજપીપળા કોવીડ સ્મશાનમાં અંતિમ સંસ્કાર થયા છે. ત્યારે આવી માનવતાભરી જવાબદારી સંભાળનાર રાજપીપળા વૈષ્ણવ વણિક સમાજના યુવાનો હાલની વિકસ સ્થિતિમાં નાત જાતના ભેદભાવ વિના સાચે જ એક ઉમદા કાર્ય કરી રહ્યા છે જે બિરદાવવા લાયક છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

નેત્રંગ તાલુકા ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં સંગઠનલક્ષી માર્ગદર્શન અપાયું.

ProudOfGujarat

अपने पापा की नन्ही परी और परिवार की सबसे मजबूत सपोर्ट सिस्टम, दीपिका ने अपने पारिवारिक समय से अंतर्दृष्टि की साझा!

ProudOfGujarat

ભરૂચ : મુન્શી સ્પોર્ટ્સ એકેડેમી ગ્રાઉન્ડમાં મુન્શી પ્રીમિયર લીગ સીઝન -૧ દ્વારા ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!