Proud of Gujarat
GujaratFeaturedINDIA

નાંદોદ તાલુકાના થરી ગામે બંધ મકાનના તાળા તૂટ્યા.

Share

નાંદોદ તાલુકાના થરી ગામે બંધ મકાનના તાળા તોડી તસ્કારોએ તરખાટ મચાવ્યો છે. જેમાં.રૂ.૮૦,૦૦૦/- સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ રૂ.૧૦,૦૦૦/- મળી કુલ રૂ.૯૦,૦૦૦/- ની મત્તાની ચોરીની ફરિયાદ રાજપીપલા પોલીસ મથકે નોંધાઈ છે.

જેમાં ફરીયાદી શંકરભાઈ રેવાદાસ પટેલ (ઉ.વ.૬૪ રહે.થરી નિશાળ ફળિયું તા.નાદોદ.) એ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદની વિગત અનુસાર ફરીયાદી શંકરભાઈ રેવાદાસ પટેલ જેઓ પોતાની પત્નિ સાથે તા.૨૯/૦૫/૨૦૨૧ ના રોજ પોતાનું મકાન બંધ કરીને મકાનના ઘાબા ઉપર સુવા માટે ગયેલ તે દરમ્યાન કોઈ અજાણ્યો ચોર ઇસમ તા.૩૦/૦૫/૨૦૨૧ વહેલી સવારે ફરીયાદીના રહેણાંક મકાનનો મુખ્ય દરવાજાનો નકુચો તોડી નાખી મકાનમાં પ્રવેશ કરી તિજોરી ખોલી અંદરનું ડ્રોવરનું લોક તોડી તેમાં મુકેલ સોના ચાંદીના દાગીના કિ.રૂ.૮૦,૦૦૦/-તથા ડ્રોવરના ઉપરના ભાગે કપડામાં મુકેલ રોકડ રકમ રૂ.૧૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૯૦,૦૦૦/- ની મત્તાની ચોરી કરી નાસી જતા પોલીસ ચોરીનું પગેરું શોધવા તપાસ આદરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ઉમરપાડાના પાંચ ગામોમાં દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા સાધન સહાયનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

નડિયાદ : વડતાલધામમાં નૂતન સંસ્કૃત પાઠશાળાનું ઉદ્ઘાટન કરાયું.

ProudOfGujarat

દાહોદ-વરસાદના કારણે ફતેપુરાના પોલીસ સ્ટેશન સામે આવેલુ અાંગણવાડીનુ જુનુ મકાન ધરાશાયી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!