Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોવિડ-૧૯ ની મહામારીને અનુલક્ષીને સ્મશાનગૃહને જલાઉ લાકડાની નિ:શુલ્ક ફાળવણી કરાશે.

Share

કોવિડ-૧૯ ની મહામારીમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્મશાનગૃહોમાં લાકડાની જરૂરિયાતને પહોંચી વળવા માટે જલાઉ લાકડાની વિના મૂલ્યે ફાળવણીના કરાયેલા ઠરાવ અન્વયે અત્રેના સામાજીક વનીકરણ વિભાગ નર્મદા હેઠળની તિલકવાડા રેંજ પરના તિકલવાડા ડેપો પર આ કામે જલાઉ લાકડાના મુદ્દામાલ ઉપલબ્ધ છે. જે જિલ્લાના અલગ અલગ સ્મશાનગૃહ માટે સરકારના પરિપત્ર મુજબ આપવાના થાય છે. જો કોઇ સ્મશાનગૃહને જલાઉ લાકડાની જરૂરિયાત હોય તો રાજપીપલા નગરપાલિકા કચેરીએ અને તાલુકાની સંબંધિત મામલતદારની કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે અને સદરહું મુદ્દામાલ અત્રેના તિલકવાડા ડેપો પરથી મેળવવાનો રહેશે અને આ કામે એજન્સી/NGO લાકડા અલગ અલગ સ્મશાનગૃહ ખાતે પહોંચાડવા માટે સહયોગ આપવા માંગતા હોય તો રાજપીપલા નગરપાલિકા કચેરીએ અને સંબંધિત તાલુકાની મામલતદારની કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે. આ અંગેના તમામ આદેશ અનુસારનો જથ્થો જિલ્લા કલેક્ટર ડી.એ. શાહના માર્ગદર્શન હેઠળ તા.૩૧/૦૭/૨૦૨૧ સુધી વિતરણ કરવામાં આવશે, જેની જાહેર નોંધ લેવા નાયબ વન સંરક્ષક, સામાજીક વનીકરણ વિભાગ, નર્મદાએ જણાવ્યું છે

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

મંત્રી પદમાં સામેલ થવા માટે અલ્પેશ, હાર્દિક અને રીવાબા પર સસ્પેન્સ, ફોન નથી આવ્યો એ વિશે શું કહ્યું?

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લા કલેકટર સુજલ મયાત્રા દ્વારા વન વિસ્તારનાં ધાનપુર – ડુંગરવાંટ પ્રથમ વાઇલ્ડ એનિમલ કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 

ProudOfGujarat

અભિનેત્રી જ્યોતિ સક્સેના તેના પ્રિય મિત્ર રાજુ શ્રીવાસ્તવ વિશે કહે છે : “મારા માટે એ હકીકત સ્વીકારવી ખૂબ જ મુશ્કેલ છે કે તે હવે નથી”

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!