Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

રામ મંદિર ભારતમાં નહીં તો શું પાકિસ્તાનમાં બનશે?: ગિરિરાજ સિંહ

Share

 

ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રામ મંદિર મુદ્દે રાજનીતિમાં ફરીથી એક વાર ગરમાવો પેદા કરી દીધો છે. મળતી માહિતી અનુસાર કેન્દ્રીય મંત્રીએ રામ મંદિર પર શિયા સમુદાયે પોતાનું સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે.

Advertisement

આ સાથે જ તેમણે સુન્નિઓ પણ આ મુદ્દે સમર્થન આપશે તેવી આશા વ્યક્ત કરી હતી. ગિરિરાજ સિંહે વધુમાં તેમ જણાવ્યું કે હિંદુ અને મુસલમાન રામ મંદિરનાં નિર્માણ માટે આગળ આવશે. તેઓએ એક સવાલનાં જવાબમાં એમ કહ્યું કે જો રામ મંદિર ભારતમાં નહીં બને તો શું રામ મંદિર પાકિસ્તાનમાં બનશે?

તેમણે આ વાત શનિવારનાં 3જી જાન્યુઆરીનાં રોજ થાણેમાં 25માં રાષ્ટ્રીય કવિ સંમેલનનાં ઉદ્ધાટનનાં મોકા પર કરી હતી. તમને જણાવી દઇએ કે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ઉત્તર પ્રદેશ શિયા કેન્દ્રીય વક્ફ બોર્ડે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ સ્થળને લઇ અનેક દશકાઓથી ચાલી આવતો આ વિવાદ કે જેને ઉકેલવા માટે ઉચ્ચતમ ન્યાયાલયમાં પ્રસ્તાવ સોંપતા જણાવ્યું હતું કે અયોધ્યામાં મંદિર બનાવી શકાય અને મસ્જિદ લખનઉમાં બનાવી શકાય.


Share

Related posts

સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી : દંડની વસુલાત ડિજિટલ રીતે પણ કરવામાં આવશે !

ProudOfGujarat

વાંકલ : લવેટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

માંગરોળનાં કોસાડી ગામે કતલ કરવા માટે લઈ જવાતી ગાયને પોલીસે બચાવી.

ProudOfGujarat
error: Content is protected !!