Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઓમાનના સલાલા બંદરે દ્વારકાના સલાયાના 4 યુવાનના ગેસ ગૂંગળામણથી મોત

Share

 
સલાયા: ઓમાનના સલાલા બંદરે ચારેક માસ પૂર્વે દરિયાઇ તોફાનમાં ડૂબી ગયેલા વહાણને બહાર કાઢયા બાદ તેમાંથી પંપ વડે પાણી બહાર કાઢતી વેળાએ ફુટવાલ ફિટ કરવા જતા ગેસ ગળતર થતા દ્વારકા જિલ્લાના સલાયાના ચાર યુવાનોએ જીવ ગુમાવતા ચારેય યુવાનોના પરિવારમાં ઘેરા શોકની લાગણી અને નાના એવા ગામમાં ભારે અરેરાટી પ્રસરી છે. બનાવની મળતી વિગત અનુસાર સલાયાના ચાર યુવાનો ઓમાનના સલાલા બંદરે ચારેક માસ પૂર્વે આવેલા વિનાશક દરિયાઇ તોફાનમાં પાણીની અંદર ગરક થયેલા વહાણ વલીદને ગુરૂવારના રાત્રે 2.30 કલાકની આસપાસ ક્રેઇનની મદદથી બહાર કાઢવાની કામગીરી કરી રહ્યા હતાં.

આ દરમિયાન વહાણની અંદર ભરાયેલા પાણીને પંપની મદદથી બહાર કાઢી રહ્યા હતાં ત્યારે એક યુવાન નીચે ફુટવાલ ફિટ કરવા ઉતર્યો હતો. જે થોડા સમય સુધી બહાર ન આવતા મદદ માટે અન્ય ત્રણેય યુવાનો નીચે ઉતર્યા હતાં પરંતુ વહાણની નીચે ગેસ ગળતરને કારણે ચારેય યુવાનોના ગૂંગળામણથી મોત નિપજયા હતાં.બનાવની ઓમાનની સિકયુરિટી વિભાગને જાણ કરાતા જ તાકીદે સુરક્ષા જવાનોનો કાફલો દોડી આવ્યો હતો અને ચારેય યુવાન કિસન વિમલભાઇ ટીંબરાવારા (ઉ.વ.24), અક્ષય વિમલભાઇ ટીંબરાવારા (ઉ.વ.22), મૌસીમ જબાર કેર (ઉ.વ.23) અને હમીદ સલુ મોદી (ઉ.વ.40)ને બહાર કાઢીને સ્થાનિક હોસ્પિટલ ખસેડયા હતાં.પરંતુ તબીબે ચારેય યુવાનોના ઘટના સ્થળે મૃત્યુ થયાનું જણાવ્યું હતું..સૌજન્ય

Advertisement

Share

Related posts

કેવડિયા જઈ રહેલી બાઇક રેલીનું ભરૂચ જિલ્લાનાં પાલેજમાં સ્વાગત કરાયું.

ProudOfGujarat

ઝઘડીયા જીઆઈડીસીની વેલેન્ટ ઓર્ગેનિક કંપનીમાં પ્રોજેકટ વર્ક દરમિયાન લોખંડની એંગલ કામદાર પર પડતા સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું. 

ProudOfGujarat

ભરૂચ એલ.સી.બી પોલીસે અંકલેશ્વરની સીને પ્લાઝા ટોકીઝ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે ભરૂચના બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!