Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

મંગળવારે મહાશિવરાત્રી : શું છે મહત્વ શિવરાત્રિનું ???

Share

રૂદ્રોત્સવ રાત્રી રુ મહાશિવરાત્રી કલ્યાણ દાત્રી રુ મહાશિવરાત્રી ભગવાન ભોળાનાથની અારાધના, સાધના કરવાથી સઘળા પાપ, તાપ, સંતાપ દૂર થાય છે. મરકટ અને મલીન મન મિંદડુ બની અજય શાતા અનુભવે છે. ચંચળ અને ચલિત ચિત્ર ચંદવનમાં ફેરવાય છે. ‘હર’ કહેતા જ હર પ્રકારની પીડા દૂર થાય છે. યસ, માન, પ્રતિષ્ઠા, પ્રભાવ વધે છે. વિજય મળે છે. જીવનનો ફેરો ફળે છે. રિઘ્ધિરુસિઘ્ધિ કદમ ચૂમે છે, સફળતા સફળતા ચોતરફ ઝૂમે છે. રિઘ્ધિરુસિઘ્ધિ કદમ ચૂમે છે, સફળતા સુફળતા ચોતરફ ઝૂમે છે.

ભગવાન શિવના સાનિઘ્યથી દુર અાધિ, વ્યાથિ, ઉપાધિ દૂર થાય છે કારણકે શિવજી વૈધનાથ કહેવાય છે. ભગવાન શંકર શકિતના મહાપૂંજ છે. અત: અેની પૂજારુઅચૅના, અારાધના કરવાથી અંગ અંગમાં અજબ અાભાર ઉભરે છે. જીવન અાનંદમય, સુખમય, મંગલમય બને છે. ભગવાન મહાદેવ મૃત્યંુજયી છે. અત: દરેક પ્રકારના અકસ્માત તથા અકાળ મૃત્યનુો ભય ટળે છે. મોક્ષ મળે છે. અેટલે જ મહામૃત્યંુજય મંત્રનો મહિમા છે. શિવરુશકિત યાને અધૅનારેશ્ર્વરની ઉભય ઉપાસના કરવાથી ગૃહસ્થ જીવન મંગલમય બને છે. ‘ૐ’ સામ્બા સદા શિવાય નમ:’ નું સતત રટણ કરવાથી ગૃહસ્થ જીવનમાં કદી કોઈ અાપત્તી અાવતી નથી. પારિવારીક પે્રમ અને પ્રસાતા વધે છે અને અેની પમરાટ ચોતરફ પ્રસરે છે. ભગવાન કૈલાસપતિ કુબેરના અધિપતિ છે અત: અેની અારાધના કરવાથી ઘરમાં અક્ષય ભંડાર ભયાૅ રહે છે, દુર અધુરપરુમધુરપમાં ફેરવાય છે. રજરુરજત બની જાય છે, લક્ષ્મી પ્રસાતા પૂવૅક પધારે છે અને ચંચલામાંથી ‘સ્થિરા’ બની લીલા લહેર કરાવે છે. ભગવાન શંભૂ સૌભાગ્યદાતા છે, મા પાવૅતી ઈચ્છિત વરદાતા છે.

Advertisement

તેમનું નિત્ય પૂજન દશૅન કરવાથી ઈચ્છિત મનોકામના પૂણૅ થાય છે. કન્યાને મનપસંદ અને યોગ્ય વરની પ્રાપ્તિ થાય છે. સૌભાગ્ય વધે છે. ભગવાન પશુપોતનાથ ‘પુત્રદાતા’ પણ છે. ઈચ્છિત પુત્રની કામનાવાળાઅો ભવાન ભોળાનાથને ભાવથી ભજે તો અે ભોળો ભંડારી તુરત રોજે અા ભોળા ભંડારી, અધૌડ દાની દેવાધિદેવ પશુપતિનાથને પ્રસા કરવાનો પવૅ અેટલે, ‘મહાશિવરાત્રી’ મહા શિવરાત્રીઅે વાસ્તવમાં ‘રુદોત્સવ’ છે. યાને જન્મથી મૃત્યુ સુધીનો ઉત્સવ કહેવાય છેકે અા દિવસે પશુપતિનાથ તાંડવ નૃત્ય કયુૅ હતું. અેટલે અને પ્રલયકારી યાને મોક્ષરાત્રી પણ કહેવાય છે. અા દિવસે ભગવાન શિવનંુ લિંગના રૂપમાં અવતરણ થયું હતું અેટલે અેનો ‘મહાશિવરાત્રી’ તરીકેનો મોંઘેરો મહિમા છે. અન્ય શિવરાત્રીઅો માસ શિવરાત્રી તરીકે અોળખાય છ.ે અામાં મહાશિવરાત્રી અને શ્રાવણશિવરાત્રીનું સવિશેષ મહત્વ છે. મહાશિવરાત્રી રુ કાલરાત્રી, પ્રલયરાત્રી યાને મોક્ષકારી રાત્રી છે. જેથી અને નિગુૅણરુનિરાકારની ઉપાસના રાત્રી પણ કહેવાય છે. જયારે શ્રાવણી શિવરાત્રી રુ સગુણ રુ નિરાકારની ઉપાસના રાત્રી પણ કહેવાય છે. જયારે શ્રાવણી શિવરાત્રી રુ સગુણ રુ સાકારરુ સકામ ઉપાસના માટે છે.

સૌજન્ય(સાંજ સમાચાર)


Share

Related posts

સુરતમાં ડ્રગ્સનો વેપલો સતત વધ્યો : સુરત પોલીસે એક આરોપીને રૂપિયા 1.56 લાખની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપી પાડયો.

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં મેઘરાજાને મનાવવા મહિલાઓએ હોમ-હવન કર્યા હતા.

ProudOfGujarat

ભરૂચના મક્તમપુર ખાતે આવેલી નવસારી કૃષિ મહાવિદ્યાલય ખાતે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ રાજ્યમાં પરવાનગી વિના ચાલતી કૃષિ યુનિવર્સિટીઓને બંધ કરવાની માંગ સાથે આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું.અને વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતર્યા હતા…

ProudOfGujarat
error: Content is protected !!