સુરતના પાંડેસરામાં બંધ મકાનમાં અચાનક ભીષણ આગ લાગી જેમાં ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
સુરતના પાંડેસરા વિસ્તારમાં સાંઈબાબા સોસાયટીના બંધ મકાનના ત્રીજા માળે અચાનક જ આગ લાગી હતી. આ આગ લાગતા આ વિસ્તારમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. આગના કારણે ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો આગની ઘટના બનતા જ સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી સંપૂર્ણપણે આગ પર કાબૂ મેળવ્યો હતો, સદનસીબે આ આગમાં કોઈ જાનહાની થઈ નથી.
Advertisement