Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉમરપાડાનાં ઉભારીયા ગામે ખેતરમાં પડી ગયેલ વીજપોલ ઉભો કરવા ખેડૂતની વીજ કંપનીને રજૂઆત.

Share

ઉમરપાડા તાલુકાના ઉભારીયા ગામે ખેતરમાં પડી ગયેલ વીજ પોલ ઉભો કરવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં ઉમરપાડા વીજ કંપનીના જવાબદાર અધિકારી અને કર્મચારીઓ બેદરકાર બનતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે. ઉભારીયા ગામના ખેડૂત છનાભાઈ ચામળભાઈ ચૌધરીની માલિકીની સર્વે નંબર 36 વાળી જમીનમાં છેલ્લા કેટલાક સમયથી કૃષિ વીજ લાઈનનો વીજપોલ પડી ગયો છે. આ બાબતે ખેડૂત દ્વારા વીજ કંપનીને રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ઉભારીયા ગામના સરપંચ દ્વારા વીજ કંપનીના ઇજનેરને લેખિતમાં પણ રજૂઆત કરી છે છતાં કોઈપણ જાતની કામગીરી વિજ કંપની દ્વારા કરવામાં આવતી નથી. હાલમાં શિયાળુ પાક ખેડૂતો લેતા હોય છે જેથી વીજળીની તાતી જરૂરીયાત ખેડૂતોને હોય છે ત્યારે ખેતરમાં પડી ગયેલ વીજપોલ તાત્કાલિક ધોરણે ઊભો કરવામાં આવે તેવી ખેડૂતની માંગ છે. વીજ કંપની દ્વારા ખેડૂતની ફરિયાદ સંદર્ભે કોઈ કાર્યવાહી નહીં થાય તો આખરે ઉચ્ચકક્ષાએ જવાબદારો અધિકારીઓ વિરુદ્ધ પગલા લેવા રજૂઆત સરપંચ અને ખેડૂત કરનાર છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ના માંડવા ગામ ખાતે અગાઉ ની રીસ રાખી કેટલાક શખ્સો એ ધસી જઇ મકાન માં તેમજ વાહનો માં તોડફોડ કરી એક મોટરસાયકલ ને સળગાવતા એક સમય માટે વાતાવરણ તંગ બન્યું હતું…

ProudOfGujarat

ગોધરામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા (૪૮) હાફ સેન્ચુરીની નજીક પહોંચી.

ProudOfGujarat

ભરુચ નાં વકીલ(નોટરી) સામે સાયબર ક્રાઈમ હેઠળ પગલાં ની માંગ સાથે નબીપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવા રજુઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!