Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાના આમલી દાબડા ગામે વંટોળિયો ફુકાતા ખેડૂતનું ઘર પડી જતા ખેડૂત પરિવાર મુશ્કેલીમાં મુકાયો

Share

ઉમરપાડાના આમલી દાબડા ગામના ખેડૂત નગીનભાઈ ખાલપાભાઇ વસાવા સામાન્ય ખેતીવાડી કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે તેઓ ગ્રામ પંચાયત દફતરે 248 નંબર વાળી મિલકત ધરાવે છે અને ત્યાં જૂનું ઘર તોડી હાલ નવું ઘર બનાવતા હતા અને મહત્તમ ઘરનું કામ પૂરું થઈ ગયું હતું ત્યારે બપોરના સમયે વાતાવરણે એકાએક પલટો લીધો હતો અને અચાનક વંટોળિયો ફૂંકાયો હતો અને આ વંટોળિયા એ નવા બનેલા ઘરને ઝપેટમાં લેતા ઘર પડી ગયું હતું ખેડૂતને નુકસાન થતા સમગ્ર પરિવાર નિરાશામાં ગરકાવ થયો હતો. ખેડૂતે આ બાબતે ગ્રામ પંચાયત કચેરીને જાણ કરતા ફરજ પરના તલાટી કમ મંત્રી એ સ્થળ પર આવી પંચ કયાશ કર્યો હતો જેમાં 50 જેટલા પતરા તૂટી જતા રૂપિયા 35,000 નું નુકસાન તેમજ અન્ય માલ સામાન મળી કુલ ₹ 50,634 નુકસાન થયું છે જે અંગેનો રિપોર્ટ તાલુકા કક્ષાએ કરવામાં આવ્યો છે ત્યારે સરકારના જવાબદાર અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂત પરિવારને સત્વરે સહાય કરે તે જરૂરી બન્યું છે.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

માંગરોળ : મોસાલી ગામે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત અને પંચાયતી રાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓની તાલીમ શિબિર યોજાઈ.

ProudOfGujarat

કરજણના હલદરવા ગામના પાટિયા નજીક મોટરસાઈકલ સવારે મહિલાને અડફેટે લેતા ઇજાગ્રસ્ત

ProudOfGujarat

અંકલેશ્વર ની ગજાનંદ સોસાયટી માં સુનિલ ભાઈ સોની ને ચાર થી પાંચ જેટલા અજાણ્યા શખ્સો દ્વારા આંતરી રિવોલ્વર તથા ચપ્પુ ની અણીએ લુંટ વાનો પ્રયાસ કરાયો હતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!