Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતની હરેકૃષ્ણ ડાયમંડે કર્મચારીઓને અકસ્માતથી બચવા 12 હજાર હેલ્મેટની ભેટ આપી

Share

સૌજન્ય/સુરત: જાન્યુઆરીથી જૂન 2018 સુધીમાં 142 લોકોનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. જેમાંથી 41 રાહદારી અને 58 લોકો માત્ર હેલમેટ નહીં પહેરતા મોતને ભેટ્યા હતા. વર્ષ 2008માં હરેકૃષ્ણ ગ્રુપનો એક કર્મચારી દિવાળી વેકેશનની પહેલાં છેલ્લી મીટિંગથી નીકળીને ઘરે જઇ રહ્યો હતો. બોનસથી ખુશખુશાલ આ કર્મચારીને અચાનક વરાછા બ્રિજ પર અકસ્માત નડે છે. હેલમેટના કારણે કર્મચારીનો બચાવ થાય છે. હરેકૃષ્ણ ગ્રુપના ચેરમેન સવજીભાઇ ધોળકિયાએ આ ઘટનાથી પ્રેરિત થઇને પોતાના તમામ 6 હજાર કર્મચારીઓ માટે હેલમેટ પહેરવાનો નિયમ ફરજિયાત કર્યો હતો. જેમાં તેમણે દરેક કર્મચારી દીઠ 2 હેલમેટ આપ્યાં. આમ 6 હજાર કર્મચારીઓ અને તેમના પરિવારની સુરક્ષા માટે હરેકૃષ્ણ ગ્રુપે 12 હજાર હેલમેટ આપ્યાં છે. હેલમેટ વિના પ્રવેશ પણ અપાતો નથી.

Advertisement

Share

Related posts

ભરૃચના રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કર્મઠ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં કરજણની ટીમનો વિજય.બેસ્ટ બેસ્ટમેન,બેસ્ટબોલર,બેસ્ટ રનર્સને ટ્રોફી એનાયત કરાઈ.છેલ્લા 10 વર્ષથી કર્મઠ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ક્રિકેટ યોજાઈ રહી છે:એમ.એચ.પટેલ.

ProudOfGujarat

સુરતના અમરોલીમાં ધોળે દિવસે તસ્કરોએ 27 લાખની ચોરી કરી.

ProudOfGujarat

ભરૂચ શહેર ત્રણ કુવા વિસ્તારમાં હોર્ન વગાડવા બાબતે ધીંગાણું, બી ડીવીઝન પોલીસ એક્સનમાં આવતા મામલો કાબુમાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!