Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાજપાનાં રાષ્ટ્રીય પ્રવકતા નુપુર શર્માના નિવેદનને વખોડી કાઢતો ભરૂચ મુસ્લિમ સમાજ.

Share

ભાજપાના રાષ્ટ્રીય પ્રવકતા નુપુર શર્મા દ્વારા તાજેતરમાં ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મુહમ્મદની શાનમાં કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણી બાબતે ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા વડાપ્રધાનને સંબોધીને જીલ્લા કલેકટર સમક્ષ એક લેખિત આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું.

આ લેખિત આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મુહમ્મદની શાનમાં તથા ઇસ્લામ ધર્મના મા આયશા રદી અલ્લાહની શાનમાં બીજેપીના રાષ્ટ્રીય પ્રવકતા દ્વારા ટીવી ડીબેટમાં અભદ્ર ટિપ્પણી બેફામ વાણી-વિલાસ આચરી અમારા મુસ્લિમ ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડેલ છે. તો તેઓ દ્વારા સમગ્ર ભારતમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આથી અમો સમસ્ત મુસ્લિમ સમાજ ભરૂચ દ્વારા આપ સમક્ષ રજૂઆત છે કે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા તેમના પદથી દૂર કરવામાં આવે તેવી આમારી માંગ છે.

Advertisement

Share

Related posts

NCC કેડેટસની સાબરમતીથી નીકળેલી સાયકલ રેલી સુરત પહોંચી.

ProudOfGujarat

રાજપીપલા સ્થિત બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં વિશ્વ આર્દ્રભૂમિ દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ:RTE હેઠળ પ્રવેશ લીધેલ બાળકોને નાપાસ કરાતા વાલીઓની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજુઆત કરાઈ હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!