Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડામાં ગુના નિવારણ રાષ્ટ્રીય સંગઠને ધારાસભ્ય ચૈતર વસાવવાના સમર્થનમાં આવેદન આપ્યું

Share

ઉમરપાડા તાલુકા મથક ખાતે ગુના નિવારણ રાષ્ટ્રીય સંગઠને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે કરેલો ખોટો પોલીસ કેસ પરત ખેંચી નુકસાનીનો ભોગ બનેલા ખેડૂતને વળતર આપવાની માંગ કરવામાં આવી હતી. ગુના નિવારણ રાષ્ટ્રીય સંગઠનના અજીતભાઈ વડવી સહિતના કાર્યકર્તાઓએ ઉમરપાડાના મામલતદારને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અને જણાવ્યું કે ચેતર વસાવા લોકોને થતા અન્યાય સામે સતત લડત ઉપાડી રહ્યા છે પરંતુ પ્રશાસન તેમની લડતને દાબી લેવા માટે ખોટા કેસ કરે છે આદિવાસી સમાજ એક પ્રકૃતિ પુંજક સમાજ છે જેની પેઢી દર પેઢી કુદરતના ખોળે કુદરતની સાથે રહેતી આવી છે જળ જંગલ એ જ એના ઇષ્ટદેવ છે અને જળ જંગલ જમીન સાથે આદિવાસી સમાજનો ખૂબ જ અનોખો નાતો છે. યુનાઇટેડ નેશન એ આદિવાસી સમાજને પર્યાવરણ જાળવણી રાખનાર અને જંગલ જમીન સાચવનાર સમાજ તરીકે ઓળખ આપી છે. ડેડીયાપાડા કોલીવાડ ગામે ખેડૂત ખાતેદાર સાથે જંગલ ખાતાનો કર્મચારી વતી જે તે ખાતેદારના ઉભા પાકને નુકસાન કરેલ છે તેનું સંપૂર્ણ વળતર ચૂકવવામાં આવે તેવી અમારી માંગ છે ભોગ બનેલા આદિવાસી ખાતેદારને સત્વરે ન્યાય મળે અને ખોટું વર્તન કરનાર જંગલ ખાતાના કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંક્લેશ્વર ખાતે ઈન્ડિયન એસો.ઓફ.ઓક્યુપેશનલ હેલ્થનો કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 9 માં ડ્રેનેજનું કામ નહિ થતા વિપક્ષના ઉપનેતા શરીફ કાનુગા દ્વારા ચીફ ઓફિસરને ખુલ્લો પત્ર લખ્યો છે.

ProudOfGujarat

લીંબડી ખાતે આવેલ સખીદા કોલેજ ખાતે ફીનિશિંગ સ્કુલનો શુભારંભ કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!