Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : મહાવાવાઝોડાના એલર્ટને પગલે સુરતમાં ધારાસભ્ય સહિત સરકારી તંત્ર દોડતું થયું.

Share

ગુજરાતના દરિયાકાંઠે ‘મહા’ વાવાઝોડુ ત્રાટકવાની સંભાવનાને પગલે અને આવનાર આપાતકાલીન પરિસ્થિતિને પહોચી વળવાની તૈયારીના ભાગરૂપે સુરતના ધારાસભ્ય સહિત મામલતદાર કચેરીના અધિકારીઓએ દરિયાકાંઠાની મુલાકાત લીધી હતી.
દરિયાકાંઠાના ગામોની મુલાકાત લઈ ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે લોકોને ‘ડરવાની નહીં પણ સાવચેત રહેવાની જરૂર છે’ તેમ કહી લોકોને સચેત રહેવા અપીલ કરી હતી.
મહાવાવાઝોડાને પગલે ઓલપાડ ખાતે 2 NDRF ની ટીમ તહેનાત કરવામાં આવી છે અને 40 ગામોને એલર્ટ અપાયું છે. એલર્ટના પગલે ગામલોકો પણ સાવચેત બની અને દરેક ગામોમાં 10 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. સરપંચ અને તલાટી દ્વારા ગામલોકોને સતત માહિતી આપવામાં આવી રહી છે. સરપંચો વ્હોટસેપ ગૃપ તેમજ ફળિયાની મુલાકાત લઈ ગ્રામજનોને સાવચેત કરી રહ્યા છે. સાથોસાથ લાઇટપોલ, ઝાડ અને મકાનોથી દૂર રહેવા સૂચના આપી રહ્યા છે. સાથોસાથ કાંઠા વિસ્તારોમાં DGVCL અને NDRF સહિત સરકારી તંત્ર સજ્જ બન્યું છે.

Advertisement

Share

Related posts

આમોદ ખાતે આવેલ બચ્ચોકા ઘરમાં હોમ કવોરન્ટાઈન હેઠળ રાખેલ સાત તમિલનાડુનાં જમાતીઓ તેમજ અન્ય બે યુવાનો મળી કુલ નવ લોકોને હોમ કવોરન્ટાઈનમાંથી રજા આપી તેમને ઘરે પરત કરવામાં આવ્યા.

ProudOfGujarat

અંકલેશ્વર-ભરૂચ આઇટી એસોસિએશન દ્વારા એબીટા પ્રીમિયર લિંગ 2019-20નું આયોજન કરાયું હતું

ProudOfGujarat

પાલેજ – પોસ્ટ ઓફિસની કોમ્પ્યુટર સિસ્ટમ દસ દિવસથી બંધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!