Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત ઓલપાડના દિહેણ ગામે રહેતી પરિણીતાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો.

Share

સુરત ઓલપાડના દિહેણ ગામે રહેતી પરિણીતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. લગ્ન જીવનના ત્રણ વર્ષમાં નિઃસંતાન પરિણીતાને સાસરિયા દ્વારા માનસિક અને શારિરીક ત્રાસ આપતાં હતાં સાથે જ દહેજની માંગ કરતાં હતાં. જેથી મહિલાએ ત્રણેક દિવસ અગાઉ ઝેરી દવા પી લીધા બાદ ગતરોજ સારવાર દરમિયાન તેણીનું મોત નીપજ્યું હતું.પિયર ગયા બાદ છ મહિને મધ્યસ્થીથી સાસરે આવેલી ઓલપાડના દિહેણ ગામે રહેતી રીંકલ ધવલ પટેલ(ઉ.વ.આ.26)ના ત્રણ વર્ષ અગાઉ BOBની બરબોધન બ્રાંચમાં કેશિયર તરિકે કામ કરતાં ધવલ પટેલ સાથે લગ્ન થયાં હતાં. લગ્નજીવન દરમિયાન રીંકલને કોઈ સંતાન નહોતું. સાસુ છ સાત મહિનાથી રિંકલને છૂટાછેડા માટે દબાણ કરતાં હતાં. દહેજની માંગ પણ કરવામાં આવતી હોય માનસિક ત્રાસ અપાતા રિંકલ છ મહિના પિયરમાં રહી હતી. બાદમાં મધ્યસ્થી થતાં સાસરે આવ્યાં હતાં. 17 ડિસેમ્બરના રોજ સાસરે આવ્યા બાદ રીંકલે 20મી ડિસેમ્બરના સાંજ સાત વાગ્યે માતા સાથે વાત કર્યા બાદ ઝેરી દવા પી લીધાનું પરિણીતાના ભાઈ નિરવે કહ્યું હતું. દવા પી લીધા બાદ તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં સારવાર બાદ ગત રોજ તેનું મોત નીપજ્યું હતું.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્રારા ગોધરા ખાતે મૌનએકતા કેન્ડલ માર્ચ રેલીનું આયોજન.

ProudOfGujarat

સુરત-ગણેશ વિસર્જનને લઈને પોલીસ તંત્ર અને પાલિકા તંત્રનો મહત્વપૂર્ણ નિર્ણય-ચાલુ વર્ષે તાપી નદીમાં એક પણ ગણેશ પ્રતિમાનું વિસર્જન કરી શકાશે નહીં..

ProudOfGujarat

જાણીતા સાહિત્યકાર અને પત્રકાર ભગવતીકુમાર શર્માનું 84 વર્ષની ઉમરે નિધન, સાહિત્ય જગતમાં શોક…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!