Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત શહેરનાં પુણા-કુંભારીયા રોડ પર આવેલા રધુવીર સિલિયમ માર્કેટમાં ફરી એક વખત આગ લાગવાનો બનાવ બન્યો.

Share

રધુવીર માર્કેટમાં મોડી રાત્રે આગ લાગી હતી, જેણે વિકરાળ રૂપ ધારણ કર્યું છે. આગ એટલી વિકરાળ છે કે મોડી રાતે લાગેલી આગ પર સવારે સાત વાગ્યા સુધી પણ કાબૂ મેળવાયો નથી. 14 માળના રધુવીર માર્કેટના તમામ માળ આગની ઝપેટમાં આવી ગયા છે. આગ પર કાબૂ મેળવવા માટે શહેરના ફાયર વિભાગની તમામ ટીમો ધટનાસ્થળે પહોંચી છે. ઉપરાંત બારડોલી, સચિન, નવસારી સહિત આસપાસના ફાયર સ્ટેશનની ગાડીઓ પણ મદદે આવી છે. સદનસીબે હાલ જાનહાનિના કોઇ અહેવાલ નથી. મળતા અહેવાલ અનુસાર ભીષણ આગ પર કાબૂ મેળવવા માટે 50 થી વધુ ફાયર ફાઈટર ધટનાસ્થળે પહોંચ્યા છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યાં છે. નીચેના માળમાં આગ પર કાબૂ મેળવી લીધો હોવાના પ્રાથમિક અહેવાલ છે. જોકે ઉપરના માળમાં હજુ પણ આગ કાબૂમાં આવી નથી. 3 હાઈડ્રોલિક ક્રેનથી પણ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Advertisement

Share

Related posts

પ્રતાપનગર-કેવડિયા વચ્ચેની મેમુ પેસેન્જર ટ્રેન 28 જુલાઈ સુધી રદ કરાઈ.

ProudOfGujarat

સુરત : ડીંડોલીમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં નર્સ સાથે ગેરવર્તન કરનાર ત્રણ ઇસમો ઝડપાયા

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના પીપદરા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ તરીકે વિજયભાઇ વસાવાની વરણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!