Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત આવી રહેલી લક્ઝરી બસના ચાલકે કાબુ ગુમાવતાં બસ સંરક્ષણ દિવાલ સાથે અથડાતા એકનું મોત.

Share

નંદુરબાર જિલ્લાના નવાપુર પિંપળનેર રસ્તા પર ચરણમાળ ઘાટીમાં મહારાષ્ટ્રનાં ધુળેથી સુરત આવી રહેલી લક્ઝરી બસના ચાલકે કાબુ ગુમાવતાં બસ સંરક્ષણ દિવાલ સાથે અથડાઇ હતી. ક્લીનરે જીવ બચાવવા બસમાંથી કૂદકો મારી દેતાં રોડ પર પટકાવાના કારણે મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં 16 મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ બસ ચાલક ભાગી ગયો હતો.ખાનગી બસ નં.જીજે 14 X 2250 મહારાષ્ટ્રનાં ધુલેથી સુરત આવી રહી હતી. ત્યારે બસમાં કુલ 30-35 મુસાફરો હતા. ચરણમાળ ઘાટીમાં વળાંક પર ડ્રાઈવરે બસ પર કાબુ ગુમાવતાં બસ રોડની પ્રોટેકશન વોલ સાથે અથડાઈ હતી. જેથી ક્લીનર શાહિર નઝરી શાહ (ઉં.24,રહે. ઉન પાટિયા, સુરત) બસમાંથી કૂદી પડતાં મોતને ભેટ્યો હતો. જ્યારે બસમાં સવાર તમામ મુસાફરોને ઈજા પહોંચી હતી.વાહનચાલકો દ્વારા બસમાં સવાર લોકોને બસમાંથી બહાર કાઢાયા હતા અને બસનો ડ્રાઈવર ભાગી ગયો હતો. ક્લીનરના મૃતદેહને પી.એમ. માટે નવાપુર સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતાં. મુસાફરોના જણાવ્યા મુજબ, બસનો ડ્રાઇવર દારૂના નશામાં મ્યુઝિક સાંભળી રહ્યો હતો. અકસ્માતમાં 16 જેટલા મુસાફરને ઈજા થઈ હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : અંદાડા ગામમાં આવેલ હેપ્પી રેસીડેન્સીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું.

ProudOfGujarat

રાજપીપળા : ત્રણ જેટલી “બેઝિક લાઈફ સપોર્ટ” એમ્બ્યુલન્સને જિલ્લા પંચાયતના પ્રમુખ હસ્તે લીલી ઝંડી આપી આરોગ્ય કેન્દ્રો માટે કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

વડોદરા : નર્મદા ભવનમાં આવેલ ઇ-ધરા કેન્દ્રમાં ડે.મામલતદાર એ એજન્ટ પર ટોચાથી હુમલો કરતાં ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!