Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના ઉમરા ખાતે વિકલાંગો માટે વિનામૂલ્યે કોરોના રસીકરણ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન…

Share

શહેરના પીપલોદ સ્થિત ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઑફ ઈન્ડિયાની દિવ્યાંગ બાળકોની શાળામાં સુરત મહાનગરપાલિકાના સહયોગથી અને સંસ્થાના પ્રમુખ પદ્મશ્રી કનુભાઈ ટેલરના માર્ગદર્શનથી આજે તા. ૧૫ મી ને મંગળવારે વિકલાંગો માટે યોજાયેલા વિનામૂલ્યે કોરોના રસીકરણ કેમ્પનું ઉદઘાટન શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલાએ દીપ પ્રાગ્ટયથી કર્યું હતું. આ પ્રસંગે કનુભાઈ ટેલરે સૌને આવકારીને મહાપાલિકાનું આભારદર્શન સાથે રસીકરની મહત્તા જણાવી હતી. સવારે ૯-૩૦ થી બપોરે ૩-૦૦ દરમ્યાનના આ કેમ્પમાં ૧૮ વર્ષથી વધુ વયના ધોરણ ૧૧, ૧૨ અને કૉલેજના દિવ્યાંગ બાળકો તથા અન્ય દિવ્યાંગો મળી ૧૨૦ દિવ્યાંગોને લાભ ઉપલબ્ધ કરાવ્યાની માહિતી ચિરાગે આપી હતી.

જયદીપ રાઠોડ, સુરત

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા સહિત અન્ય તાલુકાઓમાં 24 કલાકમાં કુલ 28 ઇંચ જેટલો વરસાદ વરસ્યો જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલી રાજપારડી ગ્રામ પંચાયતની કચેરીમાં અગમ્ય કારણોસર આગ લાગી

ProudOfGujarat

માંગરોળ તાલુકાના આંબાવાડી નજીક આવેલા ઘરો પાસે દીપડો દેખાતાં ભયનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!