Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકાની તમામ ૩૩ ગ્રામ પંચાયતોમાં આમ આદમી પાર્ટી સરપંચના ઉમેદવાર ઊભા રાખશે.

Share

ઉમરપાડા તાલુકા મથક ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો યોજાયેલી બેઠકમાં આવનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં તાલુકાની તમામ ૩૩ ગ્રામ પંચાયતોમાં સરપંચના ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સ્થાનિક સરપંચની ચૂંટણી જાહેર થતાં ગ્રામ્ય વિસ્તારમાં રાજકારણ ગરમાયું છે તમામ ગામોમાં ચોરેને ચૌટે સરપંચની ચૂંટણીની ચર્ચા ચાલી રહી છે ત્યારે ઉમરપાડા તાલુકામાં નવી ઊભી થયેલી આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારોને ગામેગામ મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે.

આ સંદર્ભમાં ઉમરપાડા ખાતે આમ આદમી પાર્ટીના પ્રમુખ ગૌરાંગભાઈ વસાવાની આગેવાની હેઠળ પાર્ટી કાર્યકરોની બેઠક યોજાઇ જેમાં ઉપ પ્રમુખ રણજીત વસાવા, મહામંત્રી રાકેશ ભાઈ વસાવા, સંગઠન મંત્રી રાકેશ ભાઈ ડી વસાવા કાર્યકર અનિલભાઈ વસાવા, અશ્વિનભાઈ વસાવા, સંતોષભાઈ વસાવા વગેરે કાર્યકર્તા સરપંચની ચૂંટણી લક્ષી ચર્ચાઓ કરી હતી અને દરેક ગામમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સરપંચ બને એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે પાર્ટીનું સંગઠન મજબૂત બને એ માટે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

દેશમાં પ્રથમવાર નર્મદા પોલીસ 139 જેટલા ગામોને કનેક્ટિવિટી સાથે જોડાવા 280 જેટલા હેમ રેડિયો વોકીટોકીનો ઉપયોગ કરશે.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આજે કુલ-૪૦ પોઝિટિવ કેસ નોંધાયા, એકનું મોત.

ProudOfGujarat

ભરૂચમાં GUJCON 2026નો ભવ્ય પ્રારંભ : ઔદ્યોગિક આરોગ્ય અને કામદાર સુખાકારી મુદ્દે નિષ્ણાતોનું મંથન 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!