Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીના ઉંટડી ગામના તળાવના માછલા ગટરના નાળા વાટે બહાર આવતા ગામવાસીઓને રોગચાળો થવાની દહેશત.

Share

લીંબડી તાલુકાના ઉટડી ગામ વચ્ચે મહાકાય તળાવ આવેલ છે ત્યારે વરસાદ પડતા તળાવ ઓવરફ્લો થવા પામ્યું છે ત્યારે હજારોની સંખ્યામાં તળાવમાંથી ગટરના પાણી મારફતે અંદાજે ૨ ફુટ ઉપરની સાઇઝના માછલા બહાર આવી ગયા હતા ત્યારે એક ખુલ્લી ગટર જે ઉટડી તળાવને મળે છે અને સીમનું વરસાદી પાણી આ ગટર માધ્યમથી તળાવમાં એકઠું થાય છે ત્યારે આ ગટર ખીમાભાઇ સારાભાઇ સિંધવના ઘરેથી નિકળે છે ત્યારે સિંધવ પરિવાર હેરાન પરેશાન થય જવા પામ્યો હતો. ત્યારે ગામના માછલાના એક જાણકાર રાજેશભાઇના જણાવ્યા પ્રમાણે આ બાંગોયું નામની જાતિના માછલા છે ત્યારે ગામ લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આશરે ૧૯૯૫ – ૯૬ માં આવો જ બનાવ ઉટડી ગામે બનેલ ત્યારે ગામમાં રોગચાળો ફેલાવા પામ્યો હતો જેમાં ૪૭૨ માંદગીના ખાટલાનું સર્જન ગામ ખાતે થવા પામ્યું હતું. આ ભુતકાળના બનાવથી લોકોમાં રોગચાળાનો ભય સતાવી રહયો છે ત્યારે ગામલોકો દ્વારા માંગણી ઉઠી હતી કે જલ્દી લગત વિભાગ દ્વારા આ માછલાઓનો નિકાલ કરવામાં આવે.

કલ્પેશ વાઢેર સુરેનદ્રનગર

Advertisement

Share

Related posts

આજે ભારતના મહાન શિક્ષણવિદ અને ભૂતપૂર્વ રાષ્ટ્ર્રપતિ ડૉ. રાધાકૃષ્ણનનો જન્મદિવસ.

ProudOfGujarat

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આઈસર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થતાં ત્રણ લોકોના મોત

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં ધોલી ગામનાં આધેડનું અસનાવી નજીક અકસ્માતમાં મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!