Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર : ચુડા તાલુકાનાં ખાંડીયા ગામના યુવાનની લાશનો પી.એમ રિપોર્ટ આવતા આત્મહત્યાનો બનાવ હત્યામાં પલટાયો.

Share

ચુડા તાલુકાના ખાંડીયા ગામે રહેતા દશરથ નામના યુવાનની પોતાના જ ઘરમાંથી લાશ મળી આવી હતી ત્યારે ચુડા પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી દશરથના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચુડા હોસ્પિટલે ખસેડી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. દશરથે આત્મહત્યા કરી કે તેની હત્યા કરવામાં આવી સહિતના અનેક સવાલો ઊભા થયા હતાં ત્યારે દશરથનો પીએમ રિપોર્ટ આવતાં પીએમ રિપોર્ટ ઉપરથી જાણી શકાયું છે કે દશરથે આત્મહત્યા નહોતી કરી પરંતુ તેની હત્યા કરવામાં આવી હતી. ત્યારે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તપાસને વાયુવેગ આપવામાં આવ્યો છે અને હત્યારાઓનુ પગેરું શોધવા કવાયત હાથ ધરી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

નડિયાદ ડીડીયુ ફાર્મસી ફૅકલ્ટી દ્વારા વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ની  ઉજવણી કરાઈ

ProudOfGujarat

રાજપીપળા નજીક કરજણ ડેમની સપાટી વધતા ડેમના ત્રણ દરવાજા ખોલાયા

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની આંગણવાડીઓનો થશે કાયાકલ્પ: મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નવીનીકરણ ઝુંબેશ – આંગણવાડીઓ બની ‘ સ્માર્ટ’

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!