Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર : ચુડા તાલુકાનાં ખાંડીયા ગામના યુવાનની લાશનો પી.એમ રિપોર્ટ આવતા આત્મહત્યાનો બનાવ હત્યામાં પલટાયો.

Share

ચુડા તાલુકાના ખાંડીયા ગામે રહેતા દશરથ નામના યુવાનની પોતાના જ ઘરમાંથી લાશ મળી આવી હતી ત્યારે ચુડા પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી દશરથના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચુડા હોસ્પિટલે ખસેડી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. દશરથે આત્મહત્યા કરી કે તેની હત્યા કરવામાં આવી સહિતના અનેક સવાલો ઊભા થયા હતાં ત્યારે દશરથનો પીએમ રિપોર્ટ આવતાં પીએમ રિપોર્ટ ઉપરથી જાણી શકાયું છે કે દશરથે આત્મહત્યા નહોતી કરી પરંતુ તેની હત્યા કરવામાં આવી હતી. ત્યારે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તપાસને વાયુવેગ આપવામાં આવ્યો છે અને હત્યારાઓનુ પગેરું શોધવા કવાયત હાથ ધરી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અખિલ ભારતીય વિચરતી અને વિમુક્ત જનજાતિ સંઘની પોતાની માંગોને લઈ રાજપીપળામાં વિશાળ રેલી,નર્મદા જિલ્લા કલેકટર કચેરીએ હલ્લાબોલ.

ProudOfGujarat

અમદાવાદ સાયન્સ સિટીમાં પાંચ દિવસ ‘સાયન્સ કાર્નિવલ’ યોજાશે.

ProudOfGujarat

ભરૂચ શહેરમાં અષાઢી બીજના પવિત્ર દિવસે ભક્તિભાવ પૂર્વક નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!