Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરેન્દ્રનગર : યુવરાજસિંહ જાડેજા પર થયેલ કેસો પરત લેવા માગુંજી ક્ષત્રિય સમાજ તેમજ લીંબડી શહેરના વિધાર્થીઓ દ્વારા મામલતદારને પાઠવાયું આવેદનપત્ર.

Share

યુવરાજસિંહ જાડેજા ઉપર 307 જેવા ગંભીર ગુન્હામાં ધડપકડ કરવામાં આવી એ બદલ વિરોધ નોંધવતા આવેદનપત્ર લીંબડી મામલતદારને આપવામાં આવ્યું હતું. લીંબડી માગુંજી શાખા ક્ષત્રિય સમાજ ઉપસ્થિત રહી સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

ભરતી કૌભાંડને બહાર લાવનાર યુવરાજસિંહ જાડેજાના સમર્થનમાં લીંબડી મામલતદારને માગુંજી ક્ષત્રિય સમાજ આગેવાનોમાં પ્રવીણસિંહ ઝાલા, બળદેવસિંહ ઝાલા, લખધીરસિંહ રાણા, ભગિરથસિંહ રાણા, સહદેવસિંહ ઝાલા, પ્રતાપસિંહ રાણા, નટુભા ઝાલા, કિરીટસિંહ ઝાલા, તેમજ લીંબડી ક્ષત્રિય સમાજના યુવાનો, દરેક સમાજના આગેવાનો તેમજ લીંબડી શહેરના સી.વાય.એસ.એસ. વિધાર્થીઓ, આમ આદમી પાર્ટીના હોદેદારો દ્રારા લીંબડી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ઇસ્કોન ભરૂચ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન.

ProudOfGujarat

शाहरुख खान कुछ इस तरह कर रहे है एसिड पीड़ित महिलाओं की मदद

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં દધેડા ગામનાં પર પ્રાંતીય ઇસમની મળેલ લાશનાં પ્રકરણમાં નવો વળાંક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!