Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડામાં પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ગેસ કનેકશન વિતરણ તથા એમ્બ્યુલન્સના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

Share

ઉમરપાડા ગામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે ઉજ્જવલા યોજના અન્વયે વિના મૂલ્યે ગેસ કનેકશન વિતરણ કાર્યક્રમ પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના અઘ્યક્ષપણા હેઠળ યોજવામાં આવ્યો હતો તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર, ઉમરપાડા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વડપાડા તથા કેવડી ની અદ્યતન સુવિધાવાળી રૂા.૩૦ લાખના ખર્ચે એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કારોબારી અધ્યક્ષ રાજુભાઈ વસાવા, જિ.મેં. સદસ્ય દરીયાબેન વસાવા ઉમરપાડા તાલુકાના સંગઠન પ્રમુખ વાલજીભાઈ વસાવા, મહામંત્રી અર્જુનભાઈ વસાવા તથા અમીષભાઈ વસાવા, ઉમરપાડા તાલુકા પ્રમુખ શારદાબેન ચૌધરી, મામલતદાર ઉમરપાડા, ગેસ એજન્સીના પ્રતિનિધીઓ, ઉપપ્રમુખ વિપુલભાઈ વસાવા, કારોબારી અધ્યક્ષ મોહનભાઈ વસાવા, સદસ્ય તાલુકા પંચાયત, સરપંચ ડે.સરપંચો મોટી સંખ્યામાં કાર્યકર્તા આગેવાનો અને ગ્રામજનો હાજર રહયા હતા.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

ખોડલધામ મહિલા સમિતિ રાજકોટ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાના વાલીયા તાલુકાના વાલીયાથી આશરે સાત કિલોમીટરનાં અંતરે આવેલા તુણા ગામ જે ડહેલીથી સોડગામ જવાના રસ્તા વચ્ચે આવતુ ગામ છે તુણા ગામના પાદર ઉપર વહેતી પૂર્વવાહિની લોકમાતા કીમાવતી ( કીમલી ) નદીના કાંઠે આવેલ સ્વંયભુ અઘોરેશ્વર મહાદેવનું પ્રાચીન મંદીર સમગ્ર ભરૂચ જીલ્લામાં અને વાલિયા તાલુકામાં શ્રધ્ધા અને ભક્તિનું કેંદ્ર બન્યું છે.

ProudOfGujarat

સુરત : ભારે વરસાદના પાણીમાં 50 મુસાફરો ભરેલી બસ ફસાઇ : ટ્રેક્ટરની મદદથી લોકોનું કર્યું દિલધડક ઓપરેશન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!