Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકામાં જંગલની જમીન ખેડતા આદિવાસીઓને અધિકાર પત્ર આપી ૭/૧૨ અને ૮/અ ની નકલ આપવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Share

ઉમરપાડા તાલુકામાં જંગલની જમીન ખેડતા આદિવાસી ખેડૂતોને કાયદેસરના હક પત્ર આપી ૭/૧૨ અને ૮અ ની નકલ આપવાની માંગ સાથે આદિવાસી મુક્તિ મોરચા દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આદિવાસી મુક્તિ મોરચાનાં સંયોજક અખિલભાઈ ચૌધરી અને કાર્યકર્તાઓએ જિલ્લા કલેકટરને તેમજ રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને લખેલું આવેદનપત્ર સુપ્રત કરી જણાવ્યું કે છેલ્લા 14 વર્ષથી જંગલની જમીન ખેડતા આદિવાસી ખેડૂતોને તેના હક અધિકારો મળ્યા નથી. વન અધિકાર અધિનિયમ ૨૦૦૬ અનુસંધાને તેઓને અધિકાર આપો તેમજ જંગલની જમીન ખેડતા ખેડૂતોની પેન્ડિંગ દાવા અરજીનો તાત્કાલિક નિકાલ કરી તેમને સનદો આપવા આવે. હાલ સુધી ડેવલોપમેન્ટ પ્રક્રિયા અધિનિયમ 2006 મુજબ થઇ નથી તેનું અમલીકરણ કરવામાં આવે વધુમાં તેમણે ચીમકી ઉચ્ચારી કે દિન ૩૦ માં ખેડૂતો ને ૭/૧૨ અને ૮ અ ની નકલો નહીં આપવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આદિવાસી મુક્તિ મોરચાનાં કાર્યકરો આંદોલન કરશે.

Advertisement

Share

Related posts

વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં ભારતને મળ્યુ 9 મું સ્થાન, એરપોર્ટ કાઉન્સિંલ ઈન્ટરનેશનલે જાહેર કર્યું રેન્કિંગ

ProudOfGujarat

જંબુસર : કાવી ગામમાં યોજયેલા સેવાસેતુ કાર્યક્રમમાં સેંકડો લાભાર્થીએ ભાગ લીધો

ProudOfGujarat

ભરૂચ જિલ્લાપ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા આયોજન મંડળ’ની બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!