Proud of Gujarat
FeaturedGujaratINDIA

નાયબ મુખ્યમંત્રીનાં વિવાદાસ્પદ નિવેદનથી આદિવાસી સમાજમાં પડયા વિરોધનાં પ્રત્યાઘાતો.

Share

આજરોજ ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી દ્વારા બજેટસત્રની ચર્ચા દરમિયાન એવું નિવેદન આપેલ કે ગુજરાતમાંથી કયા આદિવાસી મેચ જોવા આવેલ અને જો આવ્યા હોય તો ટિકિટ બતાવે. આ સંદર્ભમાં ઉમરગામથી લઈ અંબાજી સુધી વસતા આદિવાસીઓનું અપમાન કરવાનો સીધો પ્રયાસ કરવામાં આવ્યો છે અને જો મેચના વિડિયો ફૂટેજ જોવામાં આવે તો જણાશે કે ઘણા આદિવાસી સમાજના લોકો મેચ દરમિયાન ઉપસ્થિત હતા.

આવા નિવેદન આદિવાસી સમાજ માટે અપમાનજનક હોય નાયબ મુખ્યમંત્રી રાજીનામું આપે કે માફી માંગેની માંગ કરવામાં આવે છે. આ પ્રસંગે ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશભાઈ વસાવા, હીરાલાલભાઈ વસાવા, આદિજાતિ મોરચાના પ્રમુખ અશોકભાઈ વસાવા, મહામંત્રી હિતેશભાઇ પટેલ વગેરે હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની વકી, તંત્રએ રેડ એલર્ટ જાહેર કર્યુ

ProudOfGujarat

રાજપીપલા કોવિડ-૧૯ હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક આવતા કોરોનાનાં દર્દીઓને રાહત…

ProudOfGujarat

વાંકલઃ પોષણ કીટ વિતરણ કાર્યક્રમ અંતર્ગત સેવા પખવાડિયાની ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!