Proud of Gujarat
FeaturedGujaratINDIA

હેલાંગમાં પર્વત પર ભૂસ્ખલન થતાં બદ્રીનાથ યાત્રા અટકી

Share

બદ્રીનાથ હાઈવે પર હેલાંગમાં પહાડો પરથી કાટમાળ પડવાને કારણે રસ્તો બંધ થઈ ગયો છે. આ પછી પ્રશાસને બદ્રીનાથ યાત્રા અટકાવી દીધી છે. હાઈવે પર પડતો કાટમાળનો વીડિયો ભયાનક છે. પોલીસે બેરિયર લગાવીને બદ્રીનાથ જઈ રહેલા તીર્થયાત્રીઓને ગૌચર, કર્ણપ્રયાગ અને લંગાસુમાં સાવચેતી રૂપે પોતપોતાના સ્થળોએ રોકાઈ જવા જણાવ્યું છે.

બદ્રીનાથ હાઈવે પર પહાડ તૂટી પડવાનો ભયાનક વીડિયો સામે આવ્યો છે. પહાડના કાટમાળના કારણે હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. હાઈવે બંધ થયા બાદ ઘણી જગ્યાએ મુસાફરી અટવાઈ ગયા છે. સૂત્રોનું માનીએ તો હજારો મુસાફરો રસ્તામાં ફસાયેલા છે. પ્રશાસને આ અંગે માહિતી આપી છે. સીઓ કર્ણપ્રયાગ અમિત કુમારે જણાવ્યું કે, “હેલાંગમાં બદ્રીનાથ રોડ ખુલ્યા બાદ મુસાફરોને જવા દેવામાં આવશે. ટ્રાફિક સુરક્ષાને લઈને પોલીસ એલર્ટ છે, પોલીસે આ નિર્ણય લીધો છે.”

Advertisement

Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ૧૫૦ બેડનો ઈમરજન્સી વોર્ડ તૈયાર કરાયો 

ProudOfGujarat

ગડખોલ ઓવરબ્રિજ પાસેથી જુગાર રમતા એક મહિલા સહિત ત્રણ શખ્સોને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલનાં બજાર રક્ષાબંધનને ધ્યાનમાં રાખી આજથી ચાર દિવસ સુધી આખો દિવસ ખુલ્લા રહશે ત્યારબાદ તા. 5/8/20 થી 11/8/20 સુધી સંપૂર્ણ બજારો લોકડાઉન કરવામાં આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!