Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં ગણપતિની સવારી લઈ જતી વખતે બે જૂથ વચ્ચે પથ્થરમારો, 13 ની અટકાયત.

Share

વડોદરા શહેરમાં એક સંવેદનશીલ વિસ્તારમાંથી ભગવાન ગણેશની મૂર્તિ સાથેનુ સરઘસ પસાર થઈ રહ્યુ હતુ ત્યારે બે સમુદાયના લોકો વચ્ચે અથડામણ થઈ અને એકબીજા પર પથ્થરમારો કર્યો તેમ પોલીસ અધિકારીઓએ મંગળવારે, 30 ઓગસ્ટના રોજ જણાવ્યુ હતુ.

સોમવારે મોડી રાત્રે ફાટી નીકળેલી અથડામણના સંબંધમાં પોલીસે અત્યાર સુધીમાં 13 લોકોની અટકાયત કરી છે. પથ્થરમારામાં કોઈને ઈજા થઈ નથી તેમ વધુમાં જણાવ્યુ હતુ. બનાવની વિગત મુજબ વડોદરાના પાણીગેટ અને માંડવી વિસ્તારમાં સોમવારે મોડી રાતે પાણીગેટ ત્રણ રસ્તા ગણેશજીના આગમન સમયે જ પાણીગેટ દરવાજા પાસે સામાન્ય પત્થરમારો થયો હતો. આ ઉપરાંત લારીઓમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. જેના કારણે આ વિસ્તારોમાં તંગદિલી ફેલાઈ હતી. જેના પગલે લોકોના ટોળા બહાર નીકળી આવ્યા હતા. બનાવની જાણ થતા પોલિસ અધિકારીઓ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સઘન કાર્યવાહી હાથ ધરી હતી. આ વિસ્તારોમાં કોમી છમકલુ સર્જાયુ હતુ પરંતુ પોલીસે તરત જ સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના જીતાલી ગામ ખાતે આવેલ ખુશ્બુ બંગ્લોઝમાં એક યુવાને ઝેરી દવા પી ને જીવન લીલા સંકેલી લેતા ચકચાર

ProudOfGujarat

વડોદરા : મકરસંક્રાંતિ તહેવાર નિમિત્તે ચાઈનીઝ દોરી(રિલ) નું વેચાણ કરતા બે ઇસમો હજારોના મુદ્દામાલ સાથે ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ : લુવારા ગામ પાસે રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત થતાં રીક્ષામાં બેઠેલા પેસેન્જરોને ઇજા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!