Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના જીતાલી ગામ ખાતે આવેલ ખુશ્બુ બંગ્લોઝમાં એક યુવાને ઝેરી દવા પી ને જીવન લીલા સંકેલી લેતા ચકચાર

Share

ભરૂચ જિલ્લામાં આત્મહત્યાના બનાવોમાં છેલ્લા કેટલાક સમયથી વધારો નોંધાઈ રહ્યો છે, ગળે ફાંસો ખાઈ અથવા નદીમાં મોતની છલાંગ લગાવવી સહિત ઝેરી દવા પી ને જીવનનો અંત લાવવા જેવી બાબતો સતત પ્રકાશમાં આવતી જોવા મળી રહી છે. તેવામાં વધુ એક બનાવ સામે આવતા ભારે ચકચાર મચ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ પાસે આવેલ ખુશ્બૂ બંગ્લોઝ ખાતે રહેતા 25 વર્ષીય નીરજ કુમાર બહાદુર વસાવા એ ગત મોડી સાંજે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને પોતાનું જીવન સંકેરી લીધું હતું, યુવાનને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો, જે બાદ મામલે અંકલેશ્વર તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અભ્યારણ્યમાં નારુકોટ પાસેના જંગલ વિસ્તારમા આગ લાગી.

ProudOfGujarat

ભરૂચ : જાયન્ટસ ગ્રૂપ ઓફ ભરૂચ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વર : પાનોલી GIDC ની દાલમીયા કેમીકલ કંપનીમાં લાખો મત્તાની ચોરી સી.સી.ટી.વી. કેમેરામાં થઈ કેદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!