Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજકીય વિવાદ : વડોદરામાં કેજરીવાલનાં કાર્યક્રમ સ્થળે બુલડોઝર પહોંચ્યા, આપ ના કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ.

Share

વડોદરા ખાતે ૨૦ તારીખે દિલ્હીના મુખ્યમંત્રી અને આપ ના સંયોજક અરવિંદ કેજરીવાલનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જે બાદ વડોદરાના સમા વિસ્તારનાં પ્રીત પાર્ટી પ્લોટ પર તંત્ર બુલડોઝર પહોંચ્યું હતું,અને પાર્ટી પ્લોટમાં માર્જીનમાં દબાણ કરાયું હોવાની પાલિકાએ દલીલ કરી હતી, સાથે જ પાર્કિગની જગ્યાએ લોન ઉભી કરી દેવાઇ હોવાની પણ તંત્રએ સ્પષ્ટતા કરી હતી.

અચાનક આ પ્રકારે પાલિકાની કાર્યવાહીને પગલે મોટો રાજકીય વિવાદ ઉભો થયો હતો અને ‘આપ’ નાં કાર્યકરોએ બુલડોઝર આગળ બેસી જઇ વિરોધ નોંધાવ્યો હતો, સાથે જ ભાજપ લોકશાહીની હત્યા કરી રહી હોવાનો ‘આપ’ ના આગેવાનોએ આક્ષેપ કર્યા હતા, તેમજ માર્જીનમાં કોઇ દબાણ ન કર્યું હોવાની પ્લોટ માલિકએ પણ સ્પષ્ટતા આપી હતી.

પ્લાટના માલિકે પાલિકાની કામગીરીને વખોડી હતી અને કોઇપણ નોટિસ વિના દબાણ તોડવાની કાર્યવાહી થતી હોવાનો આરોપ કર્યો હતો, તો કેજરીવાલને પ્લોટ ન ફાળવવા ભાજપ તરફથી પણ દબાણ કરાયું હોવાના આક્ષેપો કર્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાનું અભિયાન શરૂ કરાયું.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : ચુડા તાલુકામાં સૌની યોજનાની પાણીની લાઈનમા ભંગાણ થતાં હજારો ક્યુસેક પાણીનો વેડફાડ

ProudOfGujarat

અંકલેશ્વરમાં એક જ દિવસમાં બે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!