Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલમાં ઓક્સિજન સુવિધાઓની કામગીરી ચકાસવા માટે મોકડ્રીલ યોજાઈ.

Share

વડોદરા જિલ્લામાં કોરોનાની સંભવિત લહેરને ધ્યાને રાખીને એસ. એસ. જી. હોસ્પિટલ ખાતે આજે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલ કવાયત PSA આધારિત ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સ, હોસ્પિટલની અંદર સ્થાપિત ઓક્સિજન લિક્વિડ મેડિકલ ટાંકીઓ અને ઓક્સિજન વિતરણને ચલાવવાની હતી.

ભવિષ્યમાં હોસ્પિટલમાં જરૂરિયાત મુજબ દર્દીઓને દરેક સુવિધાઓ પુરી પાડવા અર્થે એસ. એસ. જી. હોસ્પિટલ પ્રશાસન ૧૦૦ જેટલા બેડ સાથે તૈયાર છે. એસ. એસ. જી. હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રંજન ઐયરે જણાવ્યું કે, “હોસ્પિટલમાં અત્યારે કોરોનાનો કોઈ કેસ દાખલ નથી. છેલ્લા ૨૪ કલાકમાં કરવામાં આવેલ RTPCR ટેસ્ટમાં એકપણ પોઝિટિવ કેસ આવ્યો નથી.”

અત્યારે અનેક દેશોમાં કોવિડ-૧૯ ના કેસોમાં આવેલા અચાનકના વધારા પછી ભારત સરકારે કડક સાવચેતીરૂપ પગલાં અર્થે કોવિડ માર્ગદર્શિકાને અનુસરવા માટે દરેક રાજ્યોને સલાહ આપી રહી છે. ઓક્સિજન સપ્લાય, તેની ઉપલબ્ધતાની ચકાસણી કરવા પણ જણાવ્યું હતું. હોસ્પિટલોમાં ઓક્સિજન પુરવઠો તૈયાર રહે તેને ધ્યાનમાં રાખીને વડોદરાની SSG હોસ્પિટલમાં PSA આધારિત ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સ, હોસ્પિટલની અંદર સ્થાપિત ઓક્સિજન લિક્વિડ મેડિકલ ટાંકી અને ઓક્સિજન વિતરણ નેટવર્કની તપાસ કરવા માટે પરિસરની અંદર મોકડ્રીલ હાથ ધરી હતી.
SSG અધિક્ષક ડૉ. રંજન ઐય્યર અન્ય અધિકારીઓ સાથે કામકાજની નજીકથી દેખરેખ રાખે છે અને જ્યારે પણ જરૂર હોય ત્યારે ઓક્સિજનનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરે છે.

ડૉ. રંજન ઐયર વધુમાં કહે છે કે,”આ કવાયત સંભવિત આગામી કોવિડ વેવને ધ્યાનમાં રાખીને હોસ્પિટલની અંદર ઓક્સિજન વિતરણ સુવિધાઓની સંપૂર્ણ કામગીરીને ચકાસવા માટે હતી. અમારી પાસે ૫,૪૫૦ લિટર ઓક્સિજન જનરેશન અને ૪૦,૦૦૦ લિટર લિક્વિડ મેડિકલ ઓક્સિજનને એસ. એસ. જી. હોસ્પિટલના પરિસરમાં સંગ્રહિત કરવાની સુવિધા છે. દરેક કર્મચારી કામ કરી રહ્યા છે અને વિતરણ કરી રહ્યા છે. સિસ્ટમ પણ સારી રીતે કામ કરી રહી છે. દર્દીઓના પ્રવાહના કિસ્સામાં અમે ૧૦૦ બેડ તૈયાર રાખ્યા છે. અમારી પાસે ૬૦૦ વેન્ટિલેટર છે, વેન્ટિલેટર પર ૧૦૦ દર્દીઓને સમાવવાની ક્ષમતા છે. અમારી પાસે હાલ ૪૦૦ થી વધુ ઓક્સિજન કોન્સેન્ટ્રેટર ઉપલબ્ધ છે. સારા સમાચાર એ છે કે અત્યાર સુધીમાં કોરોનાના કોઈ દર્દી દાખલ નથી. છેલ્લા ૨૪ કલાકમાં આરટીપીસીઆર પરીક્ષણમાં કોઈ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. દરેકને માસ્ક પહેરવા, હાથ ધોવા અને સલામતીના પગલાંના ભાગરૂપે ભીડવાળી જગ્યાઓથી દૂર રહેવાની તેમજ કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરવા તેમણે સૌ નાગરિકોને અનુરોધ કર્યો છે.

Advertisement

Share

Related posts

ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા યુવા મોરચાના પ્રમુખનો MLA છોટુભાઈ વસાવા પર સોશિયલ મીડિયા દ્વારા પ્રહાર જાણો શું કહ્યું…..???

ProudOfGujarat

સીરત કપૂરના પિતા વિનીત કપૂર અને અભિષેક બચ્ચન વચ્ચે ઉગ્ર લડાઈ, અભિનેત્રીએ વીડિયો શેર કર્યો

ProudOfGujarat

શિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિ તેમજ સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિની સયુંકત ઉપક્રમે શિક્ષણ શિબિર યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!