Proud of Gujarat
FeaturedGujaratINDIA

નારેશ્વર નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ સફાળા જાગેલા તંત્ર દ્વારા ડમ્પરો પર તવાઈ.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નારેશ્વર નજીક ગતરોજ સાંજના સુમારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ સફાળા જાગેલા ખાણ ખનીજ વિભાગ, આર ટી ઓ તેમજ કરજણ પોલીસ દ્વારા રેતી વહન કરતા વાહનો સામે લાલ આંખ કરી હતી. સવારથી જ પાલેજ – નારેશ્વર માર્ગ પર રેતી વહન કરતા વાહનો સામે તવાઈ બોલાવી હતી અને અનેક રેતી વહન કરતા વાહનો ડીટેન કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. કરજણ પ્રાંત અધિકારી પણ નારેશ્વર ખાતે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ પાલેજ – નારેશ્વર માર્ગ પર અકસ્માતો સર્જાયા હતા. સર્જાયેલા અકસ્માતમાં કોઈકનો લાડકવાયો મોતના મુખમાં હોમાઈ ગયો હતો તો કોઈક સુહાગનના સેંથીનું સિંદૂર ભૂસાયું હતું.

પાલેજ – નારેશ્વર માર્ગ પર રેતી વહન કરતા વાહનના ચાલકો માતેલા સાંઢની જેમ દોડતા હોવાની પણ લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળી છે. ભૂતકાળમાં માલોદ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત બાદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ અધિકારીઓનો જાહેરમાં ઉઘડો લીધો હતો. પણ ત્યારબાદ પણ પાલેજ – નારેશ્વર માર્ગ પર સર્જાયેલા બે અક્સ્માતમાં બે હતભાગી કાળનો કોળિયો બની ગયા હતા. હવે જોવાનું એ રહ્યું કે રેતી વહન કરતા વાહન ચાલકો સામે તંત્ર કેટલા દિવસ કડકાઈ રાખશે તે તો આવનારો સમય જ બતાવશે.

યાકુબ પટેલ..કરજણ

Advertisement

Share

Related posts

ભરૂચ : કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ ત્રણ કૃષિ બિલ રદ કરવા અંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

જાણો બ્રિટનમાં એવું શું થયું કે સેના બોલાવવા મજબૂર થયા પીએમ ઋષિ સુનક

ProudOfGujarat

– અંકલેશ્વરના જગદીશ નગર ખાતેથી અંકલેશ્વર શટર પોલીસે જુગારધામ જડપી પાડ્યું ….-મોટા માથા શ્રાવણિયો જુગાર રમતા જડપાયા …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!