Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ જલારામ નગર વિસ્તારમાં ઘાસચારાના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી

Share

વડોદરા જિલ્લાના કરજણ નગરના જલારામ નગર વિસ્તારમાં આવેલા એક ઘાસચારાના ગોડાઉનમાં ગતરોજ સાંજે ચાર કલાકે અચાનક આગ ભભુકી ઉઠતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. આગના પગલે કાળા ધુમાડાના ગોટેગોટા ઉંચે આકાશ તરફ જતા નજરે પડ્યા હતા. ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને થતા ફાયર કર્મીઓ ફાયર ટેન્કર સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

ફાયર કર્મીઓએ આગ પર પાણીનો મારો ચલાવી ગોડાઉનના ઉપરના ભાગે આવેલા રહેણાંક મકાન સુધી આગ પહોચતી અટકાવી હતી. ઘરવખરીનું નુકસાન થતું બચાવ્યું હતું. સદનસીબે કોઈ જાનહાની ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. લાગેલી આગમાં અંદાજિત રૂપિયા બે લાખના ઘાસચારાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકા મથકે કોવિડ-19 અંગે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ ના કસક ગરનાળા વિસ્તારમાં ગત રાત્રીના સમયે એક ટ્રેલર ફસાઈ જતા ભારે ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા…

ProudOfGujarat

ભરૂચ : નાંદ ગામના સરપંચ સહિત 50 થી વધુ લોકો ભાજપા છોડી કોંગ્રેસમાં પ્રવેશ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!