Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ જલારામ નગર વિસ્તારમાં ઘાસચારાના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી

Share

વડોદરા જિલ્લાના કરજણ નગરના જલારામ નગર વિસ્તારમાં આવેલા એક ઘાસચારાના ગોડાઉનમાં ગતરોજ સાંજે ચાર કલાકે અચાનક આગ ભભુકી ઉઠતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. આગના પગલે કાળા ધુમાડાના ગોટેગોટા ઉંચે આકાશ તરફ જતા નજરે પડ્યા હતા. ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને થતા ફાયર કર્મીઓ ફાયર ટેન્કર સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

ફાયર કર્મીઓએ આગ પર પાણીનો મારો ચલાવી ગોડાઉનના ઉપરના ભાગે આવેલા રહેણાંક મકાન સુધી આગ પહોચતી અટકાવી હતી. ઘરવખરીનું નુકસાન થતું બચાવ્યું હતું. સદનસીબે કોઈ જાનહાની ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. લાગેલી આગમાં અંદાજિત રૂપિયા બે લાખના ઘાસચારાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચની એપલ હોટલના વગર પરવાનગીએ થતાં બે માળના બાંધકામને અટકાવતુ બૌડા…

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં 2 સાઇક્લિસ્ટ આંતરરાષ્ટ્રીય સ્તર પર આયોજીત સાયક્લિંગ ઈવેન્ટમાં ભાગ લીધો.

ProudOfGujarat

ઝઘડીયાની સેવા રૂરલ હોસ્પિટલમાં આંખનું અદ્યતન મશીન ખુલ્લું મુકાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!