Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા જિલ્લાનાં કરજણ નગરમાં સ્વૈચ્છિક બંધનાં પગલે નગરનાં બજારો પ્રથમ દિવસે બંધ જોવા મળ્યા હતા.

Share

વડોદરા જિલ્લાના કરજણ નગરમાં સ્વૈચ્છિક બંધના પગલે પ્રથમ દિવસે નગરના બજારો બપોરે ત્રણ કલાકે બંધ થઈ જતા બજારો સૂમસામ ભાસી રહ્યા હતા. હાલ કોરોના સંક્રમણ વધી જતા કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા તેમજ સતર્કતા દાખવી સુરક્ષિત રહેવા માટે ગતરોજ કરજણ નગર સેવાસદન ખાતે વેપારી મંડળ તેમજ સેવાસદન સત્તાધીશો વચ્ચે એક મીટીંગ આયોજિત થઇ હતી.

જેમાં નગર સેવા સદન સત્તાધીશો દ્વારા નગરના વેપારીઓને હાલ કોરોના સંક્રમણ વધી જતા તારીખ ૧૨ એપ્રિલથી ૩૦ મી એપ્રીલ સુધી વેપારીઓને બપોરના ત્રણ કલાકથી સવારના છ કલાક સુધી પોતાના ધંધા રોજગાર સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરાઇ હતી.

જેનો પ્રથમ દિવસે વેપારીઓ દ્વારા સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો. બપોરે ત્રણના ટકોરે સેવાસદનની જીપ પણ બજારોમાં ફરતી જોવા મળી હતી. અને વેપારીઓને સ્વૈચ્છિક બંધ કરવા અપીલ કરતી જોવા મળી હતી. આમ કરજણ નગરમાં સ્વૈચ્છિક બંધના એલાનને વેપારીઓએ સારો પ્રતિસાદ આપ્યો હતો.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સીમા આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટ ઉપરથી અગમ્ય કારણોસર યુવાને ઝંપલાવી આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.

ProudOfGujarat

સુરતના કાપડ ઉદ્યોગ ના પ્રશ્નો ઉકેલની એકદમ નજીક, ટૂંક સમયમાં જ મહત્વની જાહેરાત

ProudOfGujarat

રાજપીપળા : તિલકવાડાના આલમપુરા પાસે રેલીંગ સાથે મોટરસાઇકલ અથડાતા બે ના કરુણ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!