Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉનાળુ પાકમાં ખેડૂતોને નુકસાન ન જાય તે માટે પૂરતું પાણી આપવા વડોદરા અને છોટાઉદેપુરના ધારાસભ્યની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત.

Share

ખેડૂતો દ્વારા હાલ ઉનાળુ પાક લેવામાં આવે છે જે પાકમાં નુકસાન ન જાય સમયસર મળી રહે તે માટે વડોદરા અને છોટાઉદેપુરના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, ધારાસભ્ય કેતન નામદાર દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ લેખિત પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

આ લેખિત પત્રમાં જણાવ્યું છે કે વડોદરા તેમજ છોટાઉદેપુરના વિસ્તારો વાઘોડિયા, ડભોઇ, કરજણ, સાવલી, ડેસર, સંખેડા જ્યાં ખેડૂતોને અગાઉ કુદરતી હોનારતના લીધે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હોય આ વર્ષે ખેડૂતોએ ઉનાળુ પાક લીધા હોય તો એ પાક નિષ્ફળ ન નીવડે તે માટે સરકાર દ્વારા 15/3/2022 સુધી નર્મદાની કેનાલનું પાણી આ વિસ્તારના ખેડૂતોને પૂરું પાડવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગણી છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા જીઆઇડીસીમાં મજુરી કામ કરતા પરપ્રાંતિય યુવકને અન્ય બે ઇસમોએ માર માર્યો.

ProudOfGujarat

ભરૂચ : જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તેવાં નર્મદા મૈયા બ્રિજનું આગામી 12 મી જુલાઇના રોજ લોકાર્પણ કરાશે.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાના પોલીસ સ્ટેશનના ત્રણ અલગ અલગ ગુનાના આરોપીને પકડી પાડતી નડિયાદ ટાઉન પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!