Proud of Gujarat
GujaratFeaturedINDIA

સોખડા હરિધામ મંદિરનો મામલો કલેકટર કચેરીએ પહોંચ્યો.

Share

સોખડા હરિધામ મંદિરનો વિવાદ હજુ પણ સમ્યો નથી પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથના સંતો અને સેવકો આ તકરારને લઈને કલેકટર ઓફિસે પહોંચ્યા હતા. વડોદરાના કલેક્ટર એ બી ગોર સાથે સંતો અને સેવકોએ બેઠક કરી આવેદનપત્ર પાઠવ્યું છે. બંને પક્ષના અનુયાયીઓ કલેકટર કચેરીએ પહોંચતા સમગ્ર મામલો તંગ બન્યો હતો અને કલેકટર કચેરીનો માહોલ ગરમાયો હતો. સોખડા હરિધામ મંદિરના ત્યાગ વલ્લભ સ્વામી પોતાની મનમાની કરી રહ્યા હોવાનો આક્ષેપ પ્રબોધ સ્વામી ગ્રુપના હરિભક્તોએ કર્યો હતો. આ બાબતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બન્ને પક્ષની રજૂઆત સાંભળી કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે મામલો થાળે પાડવાની વાત કરેલ છે, જો જરૂર પડશે તો ચેરિટી કમિશનરની નિમણૂક કરી સમગ્ર મામલે નિર્ણય લેવામાં આવશે તેવું હાલ વડોદરાના કલેકટર એ બી ગોરે જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા.

ProudOfGujarat

વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આત્મા પ્રોજેક્ટ ખેડા દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ યોજાઈ.

ProudOfGujarat

કરજણ તાલુકામાં કોરોના કહેર યથાવત, ૧૧૭૯ શંકાસ્પદ લોકોનાં સેમ્પલ લેવાયા જેમાં વલણ ગામમાંથી ૧૧૧ સેમ્પલ મેળવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!