Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : કરજણની વૃંદાવન સોસાયટીમાં બે મકાનોમાં તસ્કરો ત્રાટકયા, હજારોની મત્તાની ચોરી કરી ફરાર.

Share

વડોદરા જિલ્લાના કરજણ નગર નવાબજાર વિસ્તારમાં આવેલ વૃંદાવન સોસાયટી ના ૧૧ અને ૧૪ નંબરના મકાનમાં ગતરાત્રીના તસ્કરોએ મકાનના મકાનના તાળા તોડી ઘરમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઇ જતા રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ નગરના નવાબજાર વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં આવેલા મકાન નંબર ૧૧ અને ૧૪ જે મકાન બંધ હતા તેને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. તસ્કરોએ ઉપરોક્ત બન્ને બંધ મકાનોના તાળા તોડી અંદર પ્રવેશી હજારોની સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. નગરમાં તસ્કરો સક્રિય થતા પોલિસ પેટ્રોલિંગના ધજાગરા જોવા મળી રહ્યા છે. નગરમાં પોલીસ પોઈન્ટથી માત્ર 200 થી 300 મીટર દૂર એક સાથે બે મકાનોમાં ચોરી થતા પોલિસ પેટ્રોલિંગ પર નગરજનો સવાલો ઉઠાવી રહ્યા છે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડી સિવિલ હોસ્પિટલમાં કોવિડ 19 વોર્ડમાંથી 2 દર્દીઓએ સારવાર લઈને સ્વસ્થ બનતા રજા આપવામાં આવી હતી.

ProudOfGujarat

પત્નીના વિરહમાં યુવકે જીવન ટૂંકાવ્યું : કાંસવા ગામે ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો સંજય રાઠોડનો મૃતદેહ

ProudOfGujarat

વડોદરામાં ગણપતિની સવારી લઈ જતી વખતે બે જૂથ વચ્ચે પથ્થરમારો, 13 ની અટકાયત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!