Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના કપુરાઈ ગામમાં પૂરતા પ્રેશરથી પાણી ના આવતા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારતા રહેવાસીઓ.

Share

વડોદરાના કપુરાઈ ગામના વૈરાગીનગર, બજાણીયા વાસ, રાઠોડવાસ તેમજ અહીંના વિવિધ વિસ્તારમાં પૂરતા પ્રેશરથી પાણી ન આવવાની ઘણા લાંબા સમયથી ફરિયાદો છે. આ ફરિયાદોનું નિવારણ ન થતા અહીંના રહેવાસીઓએ વડોદરા મહાનગર પાલિકા સમક્ષ લેખિત રજૂઆત કરી છે. જો આ વિસ્તારના રહેવાસીઓ પાણીનો નિકાલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે.

રજૂઆતમાં જણાવ્યા અનુસાર વડોદરા મહાનગર પાલિકાની હદમાં આવતા વોર્ડ નંબર 16 નાં કપુરાઈ ગામમાં આવેલ વૈરાગી નગર, બજાણીયાવાસ તેમજ અન્ય વિસ્તારોમાં પૂરતા પ્રેશરથી ઘણા લાંબા સમયથી અપૂરતા પાણીની ફરિયાદો આ વિસ્તારના રહેવાસીઓએ કરેલ છે પરંતુ તેઓની સમસ્યાનો કોઈ પણ જાતનો નિકાલ હજુ સુધી આવેલ નથી. આ વિસ્તારના રહેવાસીઓએ જણાવ્યું છે કે આગામી એક અઠવાડિયા સુધીમાં અમારા પાણીના પ્રશ્નનો નિકાલ કરવો નહીં તો આવનારા દિવસોમાં વોર્ડ નંબર 16 ના તમામ રહેવાસીઓ ગાંધી ચિંધ્યા માર્ગે કપુરાઈ પાણીની ટાંકી પાસે ઉપવાસ આંદોલન પર ધરણા પર છે જેની સંપૂર્ણપણે જવાબદારી અધિકારીઓની રહેશે.

Advertisement

Share

Related posts

વાંકલ મુખ્ય માર્ગ પર કોલેજ નજીક ટ્રક ચાલક પ્રવાહી કેમિકલ વેસ્ટ નો નિકાલ કરી ગયો.

ProudOfGujarat

ભરૂચ : મન મૈત્રી ફાઉન્ડેશન દ્વારા 27 જેટલાં શ્વાન દત્તક લેવામાં આવ્યાં.

ProudOfGujarat

પરશુરામ જન્મોત્સવ નિમિત્તે સેવાકીય પ્રકલ્પોની શરૂઆત, ‘બ્રહ્મરત્નો’નું બહુમાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!