Proud of Gujarat
FeaturedGujaratINDIA

પીઆઇ સોનારાની બદલી ૨૪ કલાકમાં રોકોઃ આહિર સમાજ

Share

આજે પોલીસ કમિશ્નર અને કલેકટર સમક્ષ આહિર એકતા મંચ, અખિલ ભારતીય યદુવંશી મહાસભા અને વિર દેવાયતબાપુ બોદર સમિતી સહિત આહિર સમાજના સંગઠનોના અગ્રણીઓએ લેખિત રજૂઆત કરી ભાજપના હોદ્દેદાર દિનેશ કારીયા સાથેની ખેંચતાણમાં બદલીનો ભોગ બનેલા પીઆઇ બી. પી. સોનારાની બદલી ચોવીસ કલાકમાં રોકવા રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે મહાપાલિકા અને પોલીસ તંત્ર રસ્તા પરના દબાણો સંયુકત રીતે હટાવવાની ઝુ઼બેશ ચલાવી રહ્યું છે. તા. ૬ના રોજ આ રસ્તા પર થયેલા દબાણમાં કોઇ રાજકિય આગેવાનનું પણ દબાણ હતું. તે દરમિયાન ફરજ પરના પીઆઇ સોનારાએ કાયદો બધાને માટે સમાન ગણી રાજકિય વ્યકિતનું દબાણ પણ હટાવવા પોતાની ફરજ બજાવી હતી. જે મુદ્દે રાજકિય પાવરથી પીઆઇ સોનારાની બદલી કરવામાં આવી છે. કોઇ ઓફિસર પોતાની ફરજ ઇમાનદારી પુર્વક બજાવે તેમની સાથે આવું થાય તે યોગ્ય નથી. માટે આહિર સમાજ વતી અમારી માંગણીને સરકાર સુધી પહોંચાડવા અરજ છે.

Advertisement

Share

Related posts

ગરૂડેશ્વર રાજપીપળા રોડ પર નર્મદા શોરૂમ સામે સરકારી બસ કન્ટેનરમાં ઘુસી જતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો.

ProudOfGujarat

આગામી ૨૨-૨૫ ફેબ્રુઆરી દરમ્યાન ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ (બીટીઇટી) ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા એથલેટિક મિટ અને હાફ મેરેથન નું આયોજન

ProudOfGujarat

પંચમહાલ જિલ્‍લામાં એકતા યાત્રાનો પ્રારંભ મંત્રી જયદ્રથ સિંહ પરમારે વેજલપુરથી રથનું કરાવ્‍યું પ્રસ્‍થાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!