Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિસાવદર તાલુકાનાં નાની મોંણપરી ગામનાં રામજી મંદિરનાં પૂજારીની સળગેલી હાલતમાં લાશ મળી.

Share

આ બનાવની વિગતો પ્રમાણે વિસાવદર તાલુકાની નાની મોંણપરી ગામે રામજી મંદિરની સેવા પૂજા કરતા રતિલાલભાઈ તુલસીદાસ નિમાવત (ઉં.વર્ષ-૫૦) કરે છે. જેની મંગળવારનાં રોજ નાની મોંણપરી ગામથી દુર એક અવાવરુ જગ્યાએથી સળગેલી હાલતમાં લાશ મળી આવતા નાના એવા ગામમાં શોક સાથે અનેક ચર્ચાઓ થઈ રહી છે. નાના એવા ગામમાં રામજી મંદિરની પૂજા કરતા રતિલાલભાઈ તુલસીદાસ નિમાવતને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે એવું જાણવા મળેલ છે. જેમાં બંને દીકરા રાજકોટમાં ધંધો કરે છે અને એક દીકરી સાસરે છે. જયારે રતિભાઈ અને તેમના પત્ની નાની મોંણપરીમાં જ રહે છે અને રામજી મંદિરની સેવા પૂજા કરે છે તેમજ સાથે મધ્યાહન ભોજનમાં રસોઈનું કામ પણ કરતા હોવાનું જાણવા મળેલ છે. આ બનાવની જાણ પોલીસને થતા લાશને વિસાવદર પી.એમ.માટે મોકલી આપેલ છે અને વધુમાં તપાસ થઈ રહી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ. નાની નરોલી ખાતે EXPERIENTIAL LEARNING ACTIVITY (Sandwich and Frankie making ) યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિએ રાષ્ટ્રપતિને સંબોધિત આવેદનપત્ર જીલ્લા કલેકટરને આપ્યું…

ProudOfGujarat

કેન્દ્ર શાસિત દાદરા નગર હવેલી, દીવ, દમણ જીલ્લા પંચાયતનાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવારો જાહેર કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!