Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડીયા- અવિધા ગામે બે મહિલાઓ વચ્ચેની તકરાર માં કુહાડી થી હુમલો કરાયો હોવાની ફરિયાદ

Share

ઝઘડીયા તાલુકાના અવિધા ગામે જાંબુડા ફળિયામાં રહેતી બે મહિલાઓ વચ્ચે ઝગડો થતા એકે બીજી મહિલા પર કુહાડી થી હુમલો કર્યો હોવાની ફરિયાદ લખાવા પામી છે.રાજપારડી પોલીસ માંથી મળતી વિગતો મુજબ અવિધા ગામે રહેતી શાંતાબેન હિરાભાઇ વસાવા ને તેનાજ ફળિયામાં રહેતી સરસ્વતીબેન મુકેશભાઇ વસાવાએ આવી કહ્યુકે તુ ફળિયામાં કેમ મારા વિષે ખરાબ વાતો કરે છે?તેમ કહીને ઝઘડો કરતા શાંતાબેને આ વાતનો ઇન્કાર કરતા સરસ્વતીબેન ઉશ્કેરાઇ ગયા હતા.અને ગાળો બોલીને તેના હાથમાંની કુહાડી શાંતાબેન ના માથાના ઉપરના ભાગે મારી દેતા શાંતાબેન પડી ગયા હતા.ત્યારે તેની દેરાણી અને ભત્રીજી એ વચ્ચે પડીને છોડાવી હતી.ત્યારબાદ સરસ્વતીબેન જતાં જતાં કહેતી ગઇ હતી કે હવે પછી જો ખરાબ વાતો કરીશ તો જાનથી મારી નાંખીશ.ત્યારબાદ મજુરીએ ગયેલ શાંતાનો પતિ આવી જતા શાંતાને એમ્બ્યુલન્સમાં ભરુચ સીવીલ હોસ્પિટલ માં સારવાર માટે લઇ ગયા હતા.વધુમાં જણાવ્યા મુજબ ઇજાગ્રસ્ત મહિલાને માથામાં પડેલ ઘા માંથી લોહી નીકળતુ હતું.ભરૂચ દવાખાના માંથી શાંતાબેને પોલીસ માં ફરિયાદ લખાવી હતી.જે મુજબ રાજપારડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : લીમડીચોકનાં સ્થાનિક રહીશોની પરવાનગી લીધા વિના મોબાઈલ ટાવર લગાવેલ હોવાથી તે દૂર કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ઉમરપાડા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીનો વિરોધ ધરણા સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

ભરૂચ : ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે રામ જન્મોત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!