Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયાના રાણીપુરા ગામમાં અજાણ્યા ઈસમોએ આંબાની કલમો કાપી નાંખતા ખેડૂતને આર્થિક નુકસાન.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના મિનેશભાઇ સુરેશભાઈ શાહે તેમના ખેતરમાં બે વર્ષ પહેલા આંબાની કલમો રોપી હતી. આજે સવારે ગામમાં રહેતા લાલાભાઈ નામના ઇસમે તેમને ફોન કરીને જણાવ્યું હતુ કે તમારા ખેતરમાં ઉછેરેલ આંબાની કલમો કોઇએ કાપી નાંખી છે. મિનેશભાઇ તથા તેમના પુત્રએ ખેતરે જઇને જોતા તેમણે બે વર્ષ પૂર્વે રોપેલ આંબાની કુલ ૭૨ જેટલી કલમો કોઇએ કાપી નાંખી હતી.દરમિયાન મિનેષભાઇના સામા ખેતરે કામ કરતાં નગીન વસાવાએ જણાવેલ કે ગઈકાલે રાત્રે દસેક વાગ્યાના અરસામાં તે ખેતરે હતો ત્યારે એક સફેદ ઇકો કાર તેમના ખેતરે આવેલ, અને બે જણા ઉતરીને ખેતરમાં ગયેલા. એ બાબતે નગીનને શંકા જતા તેણે ખેતરમાં ટોર્ચ મારતા તે ઈસમો ત્યાંથી ભાગી ગયા હતા, એમ જણાવતા ઈકોમાં આવેલા ઇસમોએ જ ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને આંબાની કલમો કાપી નાંખી હોવાની ખાતરી થવા પામી હતી. આ ખેડૂતે રોપેલ ૭૨ જેટલી આંબાની કલમ કાપી નંખાતા અંદાજે ૩૦ હજાર રૂપિયા જેટલું નુકસાન થયું હતું. આ બાબતે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવવામાં આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર તાલુકાનાં નાનકડા ગામ પિરામણથી દેશની રાજધાની દિલ્હી સુધીની અતિ ગૌરવવંતી સ્વ. અહેમદભાઈ પટેલની રાજકીય કારકિર્દી.

ProudOfGujarat

નેત્રંગ તાલુકાના કાટીપાડા ગામે શ્રીમતી એમ.એમ ભકત હાઇ સ્કૂલના વિદ્યાર્થીઓનો એન.એસ.એસ નો કેમ્પ યોજાયો હતો.

ProudOfGujarat

વડોદરા : નાથ સંપ્રદાયના સેક્રેટરી દ્વારા શિવજી વિશે અભદ્ર ટિપ્પણી કરતા પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!