Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : રાજપારડી ચાર રસ્તા નજીક ધોરીમાર્ગ દુરસ્ત કરવાની કામગીરીથી રાહત.

Share

ઝઘડીયા તાલુકામાંથી પસાર થતો રાજ્ય ધોરીમાર્ગ ચાર માર્ગીય બનાવવાની કામગીરી લાંબા સમયથી ખોરંભે પડી હતી, તેને લઇને માર્ગ ઠેરઠેર ગાબડાઓ પડીને જૈસેથે સ્થિતિમાં આવી ગયો હતો. ઝઘડિયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા પરથી પસાર થતો આ ધોરીમાર્ગ પણ તેની બંધ થયેલ કામગીરીને લઇને જનતાને હાલાકિ આપી રહ્યો હતો. દરમિયાન હાલમાં રાજપારડી ચાર રસ્તાની બન્ને તરફ આ માર્ગ પર ડામર પાથરીને દુરસ્ત કરવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. રાજપારડી ગ્રામ પંચાયતના સદસ્ય નિલેશભાઇ ચૌહાણે સ્થળ ઉપર ઉભા રહીને માર્ગ દુરસ્ત કરવાની કામગીરી નિહાળી હતી. તેમજ માર્ગ દુરસ્તીની કામગીરી અંતર્ગત યથાયોગ્ય સુચન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકાનું રાજપારડી નગર એક મહત્વનું વેપારી મથક છે. અને નગરના ચાર રસ્તા પરથી પસાર થતો ધોરીમાર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળને જોડતો મહત્વનો માર્ગ મનાય છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

મ્યુકરમાયકોસીસ ખતરા સમાન : સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટનાં ડોકટર્સ અને ટીમ રોગ સામે લડવા આપી રહ્યા છે માર્ગદર્શન…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજરોજ 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2593 થઈ.

ProudOfGujarat

અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જીને 9 લોકોનો ભોગ લેનાર આરોપી પુત્ર અને પિતા સહિત 6 લોકોની અટકાયત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!