Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ કેનાલના પાણીમાં છોડાતુ દુષિત મિક્ષ પાણી પીતા પશુઓના આરોગ્ય પર ખતરો?

Share

ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ કેનાલમાં આજે કોઇ કંપની દ્વારા છોડાયેલ કેમિકલ યુક્ત દુષિત પાણીથી કેનાલના પાણીમાં સફેદ ફીણ ઉત્પન્ન થતું નજરે પડ્યુ હતું. આ દુષિત પાણી કેનાલના પાણી સાથે ભેગુ થઇને તેને પણ દુષિત બનાવી રહ્યું હતું. આશ્ચર્યની વાત છે કે આ દુષિત પાણી કેટલાક પાલતુ પશુઓ પી રહ્યા હતા. કેમિકલ યુક્ત દુષિત પાણી પીતા આ પશુઓના આરોગ્યનું શું? જીઆઇડીસીનું જવાબદાર તંત્ર આ બાબતે કેમ કંઇ કરતું નથી? એને લઇને વિવિધ સવાલો ઉઠી રહ્યા છે. ઝઘડિયા જીઆઇડીસીમાં જાહેરમાં પ્રદુષણના રુપે કેમિકલ યુક્ત દુષિત પાણી છોડવાની ઘટનાઓ જાણે હવે રોજિંદી બની ગઇ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના સારસા ગામે ખાડીમાં રેતીના ખોદકામ બાબતે વિવાદ સર્જાયો રજુઆતને પગલે જિલ્લા ખનીજ વિભાગે સઘન તપાસ હાથ ધરી.

ProudOfGujarat

ભરૂચ મધ્યસ્થ સહકારી બેંકની ચૂંટણી પ્રક્રિયા ખોટી દિશામાં ચાલતી હોવાના પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી પર આક્ષેપ : ભરૂચ કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત…

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના વાલિયા, ઝઘડીયા અને નેત્રંગ સહિત હવે અંકલેશ્વરમાં પણ દીપડાનો આતંક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!