Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ કેનાલના પાણીમાં છોડાતુ દુષિત મિક્ષ પાણી પીતા પશુઓના આરોગ્ય પર ખતરો?

Share

ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ કેનાલમાં આજે કોઇ કંપની દ્વારા છોડાયેલ કેમિકલ યુક્ત દુષિત પાણીથી કેનાલના પાણીમાં સફેદ ફીણ ઉત્પન્ન થતું નજરે પડ્યુ હતું. આ દુષિત પાણી કેનાલના પાણી સાથે ભેગુ થઇને તેને પણ દુષિત બનાવી રહ્યું હતું. આશ્ચર્યની વાત છે કે આ દુષિત પાણી કેટલાક પાલતુ પશુઓ પી રહ્યા હતા. કેમિકલ યુક્ત દુષિત પાણી પીતા આ પશુઓના આરોગ્યનું શું? જીઆઇડીસીનું જવાબદાર તંત્ર આ બાબતે કેમ કંઇ કરતું નથી? એને લઇને વિવિધ સવાલો ઉઠી રહ્યા છે. ઝઘડિયા જીઆઇડીસીમાં જાહેરમાં પ્રદુષણના રુપે કેમિકલ યુક્ત દુષિત પાણી છોડવાની ઘટનાઓ જાણે હવે રોજિંદી બની ગઇ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે બકરા ચોરી પલાયન થયેલ ગેંગના બે આરોપીઓને અમદાવાદના વટવા ખાતેથી પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

અંકલેશ્વરની શરણમ બંગ્લોઝમાં દશેરાના દિવસે રાવણ દહન કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

દિવાળી 2022 – “આ દિવાળી હું મારા વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે મારા પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવા માંગુ છું” : જ્યોતિ સક્સેના

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!