Proud of Gujarat
FeaturedGujaratINDIA

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઝઘડિયા તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઝઘડીયા તાલુકા કક્ષાની કલા ઉત્સવ અને “ હર ઘર તિરંગા ” સ્પર્ધા બીઆરસી ભવન ઝઘડીયા મુકામે યોજાઈ હતી. જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત તેમજ ડાયેટ ભરૂચ સંચાલિત અને બીઆરસી ભવન ઝઘડીયા આયોજીત ઝઘડીયા તાલુકા કક્ષાનો આ કાર્યક્રમ બીઆરસી ભવન ઝઘડિયા મુકામે આજરોજ તા. ૮ મી ઓગસ્ટના રોજ યોજાયો હતો.

કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધામાં પ્રા.શા.ઉમલ્લા કન્યાશાળાની વિધ્યાર્થીની વસાવા જ્યોત્સનાબેન સુરેશભાઈ, બાલકવિ સ્પર્ધામાં પ્રા.શા.ઉમધરાનો પટેલ અશ્વિનકુમાર રામકૈલાશ, સંગીત ગાયન સ્પર્ધામાં પ્રા.શા.જેસપોરની વસાવા મહેશ્વરીબેન મહેન્દ્રભાઈ,સંગીત વાદન સ્પર્ધામાં પ્રા.શા.રાયસીંગપુરાનો વસાવા ધવલભાઈ સુરેશભાઈ પ્રથમ ક્રમે આવ્યા હતા. જ્યારે “ હર ઘર તિરંગા ” અન્વયે વકતૃત્વ સ્પર્ધામાં ડી.ડી.હાઈસ્કૂલ ઝઘડિયાની પુરોહિત યસ્વીબેન આર, ગીત સ્પર્ધામાં પ્રા.શા.ઝઘડીયા બ્રાન્ચનો વસાવા જયકુમાર એમ., નિબંધ સ્પર્ધામાં પ્રા.શા.કદવાલીનો વસાવા ઉમેશભાઈ જી., આર્ટ અને ક્રાફ્ટ સ્પર્ધામાં પ્રા.શા.ઝઘડીયા કુમારશાળાનો દાસ રાહુલકુમાર આર., ભારતનાં રાષ્ટ્રધ્વજની વિકાસયાત્રા પ્રદર્શન સ્પર્ધામાં પ્રા.શા.રઝલવાડાનો વસાવા દિવ્યાંગકુમાર આર. પ્રથમ ક્રમે આવેલા હતાં. આ પ્રસંગે ડાયેટ ભરૂચનાં પ્રાચાર્ય કલ્પનાબેન ઉનડકટ, વિજ્ઞાન સલાહકાર પી.બી.પટેલ, ઝઘડીયા તાલુકા પ્રાથમિક શિક્ષકસંઘનાં મંત્રી અતેન્દ્રસિંહ ઉપસ્થિત રહ્યાં હતાં. બ્લોક સ્ટાફ ટીમ ઝઘડીયાએ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતે આભાર દર્શન ઝઘડીયા બી.આર.સી.કો.ઓ.રાજીવભાઈ પટેલે કર્યુ હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

*ખ્યાતિ હોસ્પિટલ માં યોજનાની આડમાં સરકારના અધિકારીઓ – ડોક્ટરોની સંડોવણીનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા* ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહામંત્રી સંદીપ માંગરોલા એ તાજેતરમાં બનેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થયેલ કથિત મેડિકલ બેદરકારી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી જે દર્દીઓના મૃત્યુ થયા છે તે બાબતે ડોક્ટર તથા સંચાલકો વિરુદ્ધ સખત શબ્દોમાં આ સમગ્ર ઘટનાને વખોડી કાઢી જરૂરિયાતમંદ ને યોગ્ય માનવસેવા પૂરી પાડવા સહિતના મુદ્દા પર યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરેલ છે. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પીએમ જેવા યોજનાની આડઅસર અને ડોક્ટરની બેદરકારી ના કારણે દર્દીઓ પર જરૂરિયાત વિના એનજીઓગ્રાફી અને એનજીઓ પ્લાસ્ટિક જેવા પ્રોસીડયોર કરવામાં આવ્યા હતા. જેના કારણે બે દર્દીઓનું કરુણ મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે, આ સમગ્ર મામલે સંદીપ માંગરોલા એ જણાવ્યું છે કે પીએમ જેવાય યોજના અંતર્ગત ડોક્ટર દ્વારા જે કાંઈ પણ નિર્ણય લે તાત્કાલિક અસરથી એનજીઓ પ્લાસ્ટિક કરવામાં આવેલ હોય તેનાથી સરકારના સ્વાસ્થ્ય વિભાગના યોજનાકીય ભંડોળનો પણ ખોટો ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું છે, પીએમજેવાય યોજના અંતર્ગત સરકાર દ્વારા સામાન્ય નાગરિકોને સસ્તી અને સરળતાથી મળી રહે તેવી તબીબી સારવાર આપવામાં આવતી હોય છે, પરંતુ ડોક્ટરો દ્વારા આ યોજના ખોટી રીતે ફાયદો કરવામાં આવતો હોય તેવું લાગતા સમગ્ર રીતે આ ઘટનાને સંદીપ માંગરોલા એ વખોડી કાઢી અને વધુમાં જણાવ્યું છે કે માત્ર દર્દીઓનો વિશ્વાસ ને ડોક્ટરોએ ખંડિત કર્યો છે તેવું નથી આ કૌભાંડમાં સંડોવાયેલ અધિકારીઓ અને હોસ્પિટલના ડોક્ટરો તેમજ સંચાલકો ની પણ સાથ ગાંઠ સરકારના વિભાગ સાથે હોય તેવું કથિત જાણવા મળ્યું હોય સમગ્ર આક્ષેપો ના પરિપ્રેક્ષ્યમાં સંદીપ માંગરોલા એ આરોગ્ય વિભાગમાં આરટીઆઇ અરજી ફાઈલ કરેલ છે. આરટીઆઈ માં સંદીપ માંગરોળ એ જણાવ્યું છે કે તપાસનો સંપૂર્ણ અહેવાલ જેમાં આયોજિત બિનજરૂરી પ્રોસેસ્યોર અંગેના તારણોનો સમાવેશ થાય તેમ જ તબીબી રેકોર્ડ્સ અને દસ્તાવેજોની પ્રમાણિત નકલ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે કરવામાં આવેલ પગલાંઓની વિગત જેમાં કાનૂની કાર્યવાહીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે સરકારની પીએમજેવાય માર્ગદર્શિકા ના પાલન માટેની ચકાસણી સહિતના મુદ્દા ઉપર સંદીપભાઈ માંગરોલાએ આરટીઆઇ કરી છે વધુમાં તેઓએ જણાવ્યું છે કે આપણા નાગરિકોના આરોગ્ય અને સલામતીની ઉપેક્ષા કરી શકાય તેમ નથી સરકારની પીએમજેવાય યોજના એવી અપેક્ષા સાથે બનાવવામાં આવી હતી કે જરૂરિયાતમંદ દર્દીઓ આ યોજના દ્વારા યોગ્ય સારવાર મેળવી શકે પરંતુ સમગ્ર મામલે ડોક્ટરો પોતાના અંગત લાભ માટે આ યોજનાનો ઉપયોગ કરતા હોય તેવું જાણવા મળ્યું છે આથી આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત સંકળાયેલા લોકોની તાત્કાલિક અસરથી તપાસ કરી તારણ જાહેર કરે અને જવાબદાર સરકારના અધિકારીઓ અને હોસ્પિટલના સંચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.

ProudOfGujarat

અંક્લેશ્વરના જીતાલી ગામના ગોડાઉનમાંંથી 94 લાખનો દારૂ ઝડપાયો : કુખ્યાત બિશ્નોઇ ગેંગનો ગુજરાતમાં ઘુસાવાનો કારસો

ProudOfGujarat

ગુજરાતમાં 33 દિ’ સ્વાઇન ફ્લૂના 842 કેસ, 21ના મોત 55 કેસ નવા નોંધાયા..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!