Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના રાણીપુરા ગામે પર્યાવરણ ફાઉન્ડેશન દ્વારા ૬૧૦ વિદ્યાર્થીઓને યુનિફોર્મ આપ્યા.

Share

ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે આવેલ પર્યાવરણ ફાઉન્ડેશન દ્વારા સામાજિક લોક ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. પર્યાવરણ ફાઉન્ડેશન દ્વારા તલોદરા ગામે ૮ કલાક દવાખાનું ચલાવવામાં આવે છે. આ ઉપરાંત તાલુકાની શાળાઓમાં શૈક્ષણિક પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તેવી જવાબદારી પૂર્ણ સેવાઓ આપવામાં આવે છે. શાળાઓમાં વિદ્યાર્થીઓને યુનિફોર્મ સ્કૂલબેગ ઉપરાંત શાળાઓમાં બેન્ચીસોની પણ મદદ પૂરી પાડવામાં આવે છે. અનાથ બાળકો, વિદ્યાર્થીઓને ધાબળાનું વિતરણ કરવા ઉપરાંત ખેડૂતોને ફળાઉ વૃક્ષો વાવેતર કરવા માટે તેના છોડ પણ પૂરા પાડવામાં આવે છે.

પર્યાવરણ ફાઉન્ડેશન દ્વારા ઝઘડિયા તાલુકાના રાણીપુરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને યુનિફોર્મ, સ્કૂલબેગ તથા હાઇજેનિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાણીપુરા પ્રાથમિક શાળાના ૬૧૦ વિદ્યાર્થીઓને યુનિફોર્મ આપવામાં આવ્યો હતો, તથા ૩૦૫ સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધોરણ ૧ થી ૪ ના વર્ગોમાં હાઇજેનિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પર્યાવરણ ફાઉન્ડેશનના અધ્યક્ષ વિઠ્ઠલભાઈ વસાવા તેમના સહયોગી રાજુલભાઈ પટેલ, રાણીપુરા પ્રાથમિક શાળાના આચાર્ય ઉપેન્દ્રભાઈ તથા તમામ શિક્ષણ ગણ, રાણીપુરા ગામના સરપંચ મીતાબેન વસાવા તથા ગ્રામ પંચાયતના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ UPL-1 કંપનીમાં સફળ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ : ઝઘડીયાની બોરોસિલ કંપનીમાં કામ કરતા ટ્રાન્સપોર્ટર વિરુદ્ધ લુંટ અને જાતિ વિષયક અપમાન કરી માર માર્યો હોવાની ફરિયાદ.

ProudOfGujarat

અંકલેશ્વર માં બાળક નું અપહરણ અને ઘર ના વાડા માંથી મળેલ કંકાલ મામલે હિન્દૂ-મુસ્લીમ રહીશોએ આવેદન આપ્યું ……….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!